પાકિસ્તાનમાં ફરી રાજકીય સંકટના સંકેત? મોહસીન નકવીના નિવેદનોથી વધ્યો સત્તા પરિવર્તનનો ચર્ચા

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની છે. ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીના તાજેતરના નિવેદનો બાદ દેશમાં સત્તા પરિવર્તન અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નકવીએ દેશની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નકવીના આ નિવેદનો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે કે પછી દેશની સત્તા વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનમાં નકવીએ સરકાર અને સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ પાકિસ્તાન આર્થિક સમિટ દરમિયાન ગૃહમંત્રી મોહસીન નકવીએ દેશની હાલની વહીવટી વ્યવસ્થા અંગે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જૂની શાસન પદ્ધતિમાં અનેક ખામીઓ છે અને તેને…

પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ

પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનને આડેહાથ લીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે, જ્યારે મધ્યમ સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું, ‘આ ડર સારો છે!’ यह डर अच्छा है!! Top Pakistani army officers fleeing country, middle-level officers resigning en masse due to fear. — Harsh Sanghavi (@sanghaviharsh) April 27,…