શું ઓવૈસીની પાર્ટી બિહાર ચૂંટણીમાં બનશે કિંગમેકર? 100 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું જાણો શું છે ગણિત

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ રસપ્રદ બની રહી છે. NDA અને મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષો શક્ય તેટલી વધુ બેઠકો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન, ઓવૈસીની પાર્ટી, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ 32 બેઠકોની જાહેરાત કરી છે જેના પર તે ઉમેદવારો ઉભા રાખશે. વધુમાં, પાર્ટીએ 100 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાના પોતાના ઈરાદાની જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આને ત્રીજા મોરચાના ઉદભવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ તાજેતરમાં સીમાંચલનો વ્યાપક પ્રવાસ કર્યો છે, જે પાર્ટીનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. તેમણે ત્યાં ઘણી જાહેર સભાઓ યોજી હતી અને નવા રાજકીય પરિદૃશ્ય પર ચર્ચા કરવા માટે પાર્ટીના…

ઓવૈસીએ કહ્યું ‘વડાપ્રધાન મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઇ અર્થ નથી’ આપી આ સલાહ

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ અર્થ નથી અને સરકારે હાલની મસ્જિદો અથવા દરગાહને લઈને કોર્ટમાં કરવામાં આવતા દાવાઓને રોકવા જોઈએ તેને રોકવા માટે પગલાં લેવા જોઈએ. અસદુદ્દીન ઓવૈસીએ પત્રકારોને કહ્યું કે ચાદર મોકલવા પાછળનો સંદેશ એ છે કે સરકાર મસ્જિદોમાં માનનારાઓની ચિંતા કરે છે, પરંતુ ભાજપ અને સંઘ પરિવારના લોકો કોર્ટમાં જઈને કહે છે કે ખ્વાજા અજમેર દરગાહ નથી, અને આવોજ તર્ક તેમનો અન્ય કેટલીક મસ્જિદો બાબતે પણ છે. -> ઓવૈસીએ મોદી સરકારને આપી સલાહ :- AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સરકારનું અસલી કામ આવા દાવાઓને ખતમ કરવાનું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે અજમેર દરગાહ ખાતે સૂફી સંત ખ્વાજા…

“કલેક્ટર સાહેબ તમે એ જ જુઓ છો જે વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથ બતાવે છે” : ઓવૈસી

સંભલમાં જામા મસ્જિદ પાસે બનાવવામાં આવી રહેલી નવી પોલીસ ચોકીને લઈને વિવાદ વધી રહ્યો છે. દરમિયાન AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ તેના નિર્માણને લઈને કેન્દ્ર અને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે જમીન નગરપાલિકાની મિલકત તરીકે નોંધાયેલી છે. દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે આ જમીન વકફ પ્રોપર્ટી છે.   અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું:   ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કાશીની મસ્જિદમાં નમાજ બંધ છે. આ સિવાય આ લોકો મથુરાની ઈદગાહ પર નજર રાખી રહ્યા છે. સંભલની મસ્જિદની કહાની તમારી સામે છે. કેસ એક જ દિવસમાં બને છે. આ પછી, દોઢ કલાકમાં ઓર્ડર આપવામાં આવે છે અને એક કલાકમાં સર્વે કરવામાં આવે…