ગુજરાત ઉદ્યોગ વિકાસમાં અગ્રેસર – દેશ-વિદેશના રોકાણકારો માટે બની રહ્યું છે વિશ્વાસનું સૌથી મજબૂત કેન્દ્ર.

ઉદ્યોગ રોકાણ માટે ગુજરાત બન્યું પસંદગીનું રાજ્ય, દેશ-વિદેશની કંપનીઓ નવા રોકાણ માટે ઉત્સુક   ભારતના સૌથી ઝડપી વિકાસ પામતા રાજ્યોમાં ગુજરાત આજે ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અગ્રણી સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, વિશ્વસ્તરીય સુવિધાઓ અને વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણને કારણે દેશ-વિદેશની અનેક કંપનીઓ ગુજરાતમાં નવા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે રસ દાખવી રહી છે. રોકાણકારો માટે અનુકૂળ માહોલ ગુજરાતમાં સરળ વ્યવસાય પ્રક્રિયા, પારદર્શક વહીવટ, મજબૂત કાયદો-વ્યવસ્થા અને ઝડપી મંજૂરી પ્રણાલીએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક પાર્ક, વિશેષ આર્થિક ઝોન (SEZ), GIDC એસ્ટેટ્સ અને આધુનિક લોજિસ્ટિક્સ નેટવર્ક ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂત વ્યવસ્થા ગુજરાત પાસે દેશના સૌથી મોટા બંદરોનું જાળું, ઉત્તમ રોડ અને રેલ કનેક્ટિવિટી તેમજ વિશ્વસ્તરીય એરપોર્ટ સુવિધાઓ છે. આ ઉપરાંત…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સિંગલ ક્લિક પેમેન્ટ’થી MSME અને ઉદ્યોગ વિભાગના લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં સહાયની કરી ચૂકવણી

ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના ઉમદા હેતુથી આજે સાંજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ “સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ”માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિંગલ ક્લિકથી કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક લાભ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે MSME ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ 1715 લાભાર્થીઓને રૂ. 80.96 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મહત્વના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૨૦૨ લાભાર્થીઓને રૂ. 184.97 કરોડ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ (મોટા ઉદ્યોગો)ના 126 લાભાર્થીઓને રૂ. 188.77…

કેન્દ્રીય બજેટ 2026-27 મામલે સુરત ખાતે સ્મૃતિ ઈરાનીએ યોજી પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

દિલ્હી ખાતે સંસદમાં બજેટ સત્રમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં ટેક્સટાઇલ પાર્કની જોગવાઈ અને નેશનલ ટેક્નિકલ ટેક્સટાઇલ મિશન તેમજ EU અને US સાથેની ટ્રેડ ડીલ થી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ મળશે બજેટ અંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્તવ્ય પરાયણતાના પથ પર ચાલી દુરંદેશી અને સંકલ્પિત નેતૃત્વ થકી દેશના સામર્થ્યને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. આ બજેટના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રગતિશીલ ભારત થી વિકસિત ભારતના નિર્માણની જે દિશા દર્શાવી છે તેને દેશના નાગરિકોએ વ્યાપક સ્વીકાર અને સમર્થન આપ્યું છે. મેન્યુંફેકચરિંગ, MSME, બાયોફાર્મા અને ક્રિએટીવ ઇકોનોમિ માટે કરવામાં આવેલી જોગવાઇઓને વ્યાપક સમર્થન…

ભારત–અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: ટ્રમ્પ–મોદીના નેતૃત્વમાં ‘વચગાળાના કરાર’નું એલાન

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સિદ્ધિ નોંધાઈ છે. બંને દેશોએ પરસ્પર લાભ અને સંતુલિત વેપાર સંબંધોને નવી દિશા આપતા એક માળખાગત ‘વચગાળાના કરાર’ (Interim Trade Agreement) પર પહોંચવાની જાહેરાત કરી છે. આ કરાર 13 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટોનું મહત્વપૂર્ણ પરિણામ છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે મજબૂત સપ્લાય ચેઈન વિકસાવવાનો, સમાન બજાર પ્રવેશ સુનિશ્ચિત કરવાનો અને વેપારમાં અવરોધો ઘટાડવાનો છે. તેને ભારત–અમેરિકા સંબંધોમાં વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક ગણાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ કરારને ભારત અને અમેરિકા માટે ‘શુભ સમાચાર’…

India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. વૈશ્વિક બજારો માટે નવા દ્વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ ડીલ મેઈક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ જેવા વિઝનને વધુ બળ આપશે. ડીલ હેઠળ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18% ની કટौती કરવામાં આવી છે, જે ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગારી સર્જન માટે મોટું પ્રોત્સાહન હશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે હવે વૈશ્વિક બજારોમાં પ્રવેશ સરળ બનશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને લાભ મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ અને…

‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે, જાણો વિગત

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. 9 અને 10 એપ્રિલ-2026ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. 10 એપ્રિલ, 2026ના રોજ ‘MSME…

GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’

વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં વૃદ્ધિ ઘટાડાની ચિંતામાં છે, ત્યાં ભારત 8% થી વધુ GDP વૃદ્ધિ દર સાથે સ્થિરતા અને વિશ્વાસના મજબૂત સ્તંભ તરીકે ઉજાગર થયું છે. લાંબા ગાળાના રિફોર્મ પર ભાર PM મોદી મુજબ આજે ભારતની નીતિઓ પ્રતિક્રિયાશીલ નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે આગામી પેઢીના GST, ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય કર, નાના ઉદ્યોગોની વ્યાખ્યામાં સુધારણા અને ઘણા ઉત્પાદનોને ફરજિયાત ગુણવત્તા નિયંત્રણમાંથી મુક્તિ જેવા પગલાંને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. ‘ગુલામી માનસિકતા’માંથી મુક્ત થવાની અપીલ વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે બ્રિટિશ…

બેંકો ફક્ત ‘ડિજિટલ’ નહીં, ‘માનવીય’ પણ બને, નાણામંત્રીનો બેંકિંગ ક્ષેત્રને સંદેશ

મુંબઈમાં યોજાયેલા 12માં SBI બેંકિંગ અને અર્થશાસ્ત્ર કોન્ક્લેવ 2025 દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે બેંકરોને સંબોધતા જણાવ્યું કે બેંકો ગ્રાહક આધાર વધારવા માટે ફક્ત ટેક્નોલોજી પર નહિ પરંતુ માનવીય સંપર્ક પર પણ ધ્યાન આપે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “બેંકિંગનો અર્થ ફક્ત ડિજિટલ જોડાણ નથી. વ્યક્તિ-થી-વ્યક્તિ સંપર્ક બેંકિંગની આત્મા છે. બેંકિંગ હંમેશા ગ્રાહક-કેન્દ્રિત અને સ્ટાફ-આધારિત ક્ષેત્ર રહ્યું છે.” તેમણે આગળ કહ્યું કે સ્થાનિક ભાષાનો ઉપયોગ ગ્રાહક જોડાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જાહેર ક્ષેત્રની બેંકોને સૂચના આપતાં તેમણે જણાવ્યું કે દરેક શાખામાંનો સ્ટાફ સ્થાનિક ભાષામાં ગ્રાહકો સાથે સંવાદ કરી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સીતારમણે એમએસએમઈ (MSME) ક્ષેત્ર માટે બેંકોને પોતાનું ક્રેડિટ રેટિંગ સિસ્ટમ વિકસાવવા સલાહ આપી અને આઉટસોર્સ્ડ રેટિંગ એજન્સીઓ પર…