FCRA મુદ્દે અમેરિકાને ભારતનો સ્પષ્ટ સંદેશ, ‘વિદેશી ફંડિંગનું નિયમન કરવું દરેક દેશનો અધિકાર’

વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં પ્રસ્તાવિત સુધારાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા તેજ બની છે. અમેરિકાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે કે FCRA સંબંધિત કાયદાકીય સુધારા ભારતનો સંપૂર્ણ આંતરિક મામલો છે અને તેના પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર ભારતની સંસદને છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વિશ્વના અનેક દેશોની જેમ અમેરિકા પણ પોતાના દેશમાં વિદેશી ફંડિંગને નિયંત્રિત કરવા માટે કડક કાયદા ધરાવે છે. તેથી ભારત દ્વારા પોતાના કાયદામાં કરવામાં આવતા સુધારાઓ અંગે બહારથી કરવામાં આવતી ટિપ્પણીઓ યોગ્ય નથી. શું કહ્યું હતું અમેરિકાના સાંસદ રાઇલી મૂરે? અમેરિકાના પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પર FCRA સુધારા બિલ અંગે ચિંતા વ્યક્ત…

FCRA સુધારા બિલને લઈને દેશ-વિદેશમાં ચર્ચા તેજ, જાણો શું છે આ કાયદો?

કેન્દ્ર સરકાર વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં મહત્વપૂર્ણ સુધારા કરવાની તૈયારીમાં છે. સંસદમાં રજૂ થનારા FCRA સુધારા બિલને લઈને રાજકીય પક્ષો, વિવિધ બિનસરકારી સંસ્થાઓ (NGO), ધાર્મિક સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચર્ચ, મસ્જિદ અને અન્ય ધાર્મિક સંસ્થાઓને મળતા વિદેશી ફંડ અને તેનાથી ઉભી થયેલી મિલકતોને લઈને પ્રસ્તાવિત જોગવાઈઓ સૌથી વધુ ચર્ચામાં છે. સરકારનું કહેવું છે કે નવા સુધારાઓનો હેતુ પારદર્શિતા વધારવાનો અને વિદેશી ફંડનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે વિરોધ પક્ષો અને કેટલાક સંગઠનો આ જોગવાઈઓને વધુ કડક ગણાવી રહ્યા છે. શું છે FCRA કાયદો? FCRA એટલે Foreign Contribution Regulation Act, જે ભારતમાં વિદેશી નાણાંના પ્રવાહને નિયંત્રિત કરતો કાયદો છે. આ કાયદો પ્રથમ વખત…

દિલ્હી હાઈકોર્ટે રામદેવની ‘શરબત જેહાદ’ ટિપ્પણીની ટીકા કરી, તેને અક્ષમ્ય અને અંતરાત્માને હચમચાવી નાખે તેવું નિવેદન ગણાવ્યું

દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવની ‘શરબત જેહાદ’ ટિપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે આ નિવેદન માત્ર વાંધાજનક નથી, પરંતુ તેણે કોર્ટના અંતરાત્માને પણ હચમચાવી નાખ્યું છે. કોર્ટે તેને અક્ષમ્ય જાહેર કર્યું છે. હમદર્દ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમાની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી.   રામદેવે સ્પષ્ટતા આપી, કહ્યું કે તેમણે કોઈનું નામ લીધું નથી: – રામદેવે તાજેતરમાં પતંજલિના ગુલાબના શરબતનો પ્રચાર કરતી વખતે દાવો કર્યો હતો કે હમદર્દના રૂહ અફઝામાંથી કમાતા પૈસા મદરેસા અને મસ્જિદોના નિર્માણમાં વપરાય છે. બાદમાં, સ્પષ્ટતા આપતાં, રામદેવે કહ્યું કે તેમણે ન તો કોઈ બ્રાન્ડનું નામ લીધું છે કે ન તો કોઈ સમુદાયનું. હમદર્દે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો:- હમદર્દે રામદેવના આ નિવેદનને અત્યંત વાંધાજનક ગણાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો…

Karnataka: મસ્જિદની બહાર મહિલાને આપવામાં આવી ‘તાલિબાની સજા’, વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં

9 એપ્રિલના રોજ, કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરી તાલુકાના તવરેકેરે ગામમાં 38 વર્ષીય મુસ્લિમ મહિલા શબીના બાનુ પર ટોળાએ જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના મસ્જિદની બહાર બની હતી, જ્યાં ડઝનબંધ લોકોની હાજરી હોવા છતાં, કોઈએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. લાકડીઓ, પાઇપ અને સળિયાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ આ મામલાએ જોર પકડ્યું હતું. શબીનાનો ‘ગુનો’ શું હતો? આ ઘટનાના બે દિવસ પહેલા, શબીનાના સંબંધીઓ નસરીન અને ફયાઝ તેના ઘરે તેને મળવા આવ્યા હતા. પતિ જમીલ અહેમદે તેણીને ઘરે જોઈને નારાજગી વ્યક્ત કરી અને મસ્જિદ સમિતિને આ અંગે ફરિયાદ કરી. આ પછી શબીના સહિત ત્રણેયને મસ્જિદમાં બોલાવવામાં આવ્યા, જ્યાં શબીનાને બહાર ટોળાને સોંપી દેવામાં આવી. આ પછી, જાહેર ટોળાએ મસ્જિદની…

મલેશિયામાં 130 વર્ષ જુના મંદિરને તોડીને બનાવાશે મસ્જિદ, દેશમાં લઘુમતીઓના અધિકારોને લઇને ચિંતા વધી

મલેશિયાના કુઆલાલંપુરમાં ૧૩૦ વર્ષ જૂના દેવી શ્રી પત્થરકાલીયમ્માન મંદિરને તોડીને મસ્જિદ બનાવવાની યોજનાએ વિવાદ ઉભો કર્યો છે. આ મંદિર શહેરના ફ્લેટ અને કાપડની દુકાનોની વચ્ચે આવેલું છે. તાજેતરમાં, મલેશિયાની અગ્રણી કાપડ કંપની જેકેલને આ જમીનના માલિકી હકો મળ્યા છે. આ પછી કંપનીએ અહીં એક મસ્જિદ બનાવવાની યોજના બનાવી છે. જોકે, આ નિર્ણયથી મલેશિયામાં ધાર્મિક અસમાનતા અને લઘુમતી અધિકારો અંગે ચિંતા વધી ગઈ છે. કુઆલાલંપુરમાં મસ્જિદ ઇન્ડિયાની બાજુમાં આવેલું મંદિર ૧૩૦ વર્ષ જૂનું છે. આ મંદિર ૧૪૦ વર્ષ જૂની તમિલ મુસ્લિમ મસ્જિદની નજીક આવેલું છે. તે મસ્જિદના નિર્માણના 10 વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું. જે જમીન પર મંદિર અને મસ્જિદ આવેલી છે તે જમીન 2014 માં જેકલ કંપનીને વેચી દેવામાં આવી હતી અને કંપની અહીં એક મસ્જિદ…

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મસ્જિદમાં બ્લાસ્ટ, 1 વ્યક્તિ ગંભીર ઘાયલ, 3ને સામાન્ય ઇજા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાનમાં શુક્રવારે નમાજ દરમિયાન એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના જિલ્લા વડા અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. ધ ડોનના અહેવાલ મુજબ, જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરે જણાવ્યું હતું કે વિસ્ફોટ આઝમ વારસક બાયપાસ રોડ પર મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થયો હતો. આ પણ વાંચો :- બાબર આઝમની ટીકા કરવા બદલ પાકિસ્તાનમાં આ ખેલાડીને કહેવામાં આવી રહ્યો છે દેશદ્રોહી બપોરે 1:45 વાગ્યે, મસ્જિદના વ્યાસપીઠમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ મૂકવામાં આવ્યું હતું, જે શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ કરવામાં આવ્યું હતું. ડીપીઓના જણાવ્યા અનુસાર, અન્ય ત્રણ ઘાયલ વ્યક્તિઓની ઓળખ રહેમાનઉલ્લાહ, મુલ્લા નૂર અને શાહ બહેરાન તરીકે થઈ છે. બધા ઘાયલોને…