Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે”

ગુજરાત વિધાનસભાના આજના સત્ર દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો કડક અવતાર જોવા મળ્યો. ગૃહની શિસ્ત, ધારાસભ્યોનું વર્તન અને નિયમોનું પાલન ન થવાની બાબતે તેમણે ખુલ્લી ટકોર કરી. તેમણે નોંધ્યું કે, ઘણા ધારાસભ્યો ગૃહની પ્રક્રિયાઓથી અજાણ છે અને ગૃહની ગૌરવશાળી પરંપરાને યોગ્ય રીતે સંભાળવી જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે ઘણો સમય થયો હવે તમામને શીખવાડવાનું ન હોય. ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાત ન કરે અને ગૃહમાં તમામ સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ. આ ઉપરાંત અધ્યક્ષે મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને ટકોર કરી હતી. ગૃહમાં અધિકારીઓને વિધાનસભાના અધ્યક્ષે માગણીઓ પરની ચર્ચા દરમિયાન અધિકારીઓ હાજર ન રહેતા ટકોર કરી હતી. અને સંબંધિત અધિકારીઓ હાજર ન હોય તો હાજર રહેવા સુચના અપાઈ હતી. મંત્રી કુંવરજી હળપતિ ગ્રામ…

gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ

ગુજરાત વિધાનસભા ખાતે એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે :- જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીઓ-ધારાસભ્યો માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ અને પત્રકારઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે…