નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચવાની ઔપચારિક જાહેરાત કરતો પત્ર જારી કર્યો છે. જેડીયુનું 2022 થી ભાજપ સાથે જોડાણ હતું, પરંતુ હવે તે શાસક સરકારથી દૂર થઈ ગયું છે. 2022 માં JDUના છ માંથી પાંચ ધારાસભ્યોએ ભાજપને ટેકો આપ્યો હતો, જેનાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ હતી. હવે JDUએ રાજ્યપાલને ભાજપ સરકારમાંથી ટેકો પાછો ખેંચવાનો ઔપચારિક પત્ર સુપરત કર્યો છે. -> સરકારની સ્થિરતા પર કોઈ અસર થતી નથી :- JDU એ ટેકો પાછો ખેંચી લીધો હોવા છતાં, મુખ્યમંત્રી બિરેન સિંહના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની સ્થિરતા પર કોઈ…