કોડીનારના સિંધાજ ગામે સિંહ પરિવારની લટાર, જુઓ વીડિયો

શબ્બીર સેલોત, કોડીનાર / કોડીનાર તાલુકાના સિંધાજ ગામમાં ગત રાત્રિએ આઠ સિંહોના પરિવારે ગામની શેરીઓમાં પ્રવાસ કર્યો હતો. ખોરાકની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહ પરિવારના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. આ ઘટના ગીર જંગલની સરહદ નજીક આવેલા ગામમાં બની હતી . CCTV ફૂટેજમાં સિંહ, સિંહણ અને તેમના બચ્ચાંઓ સહિતનો આખો પરિવાર શાંતિપૂર્વક ગામની ગલીઓમાંથી પસાર થતો જોવા મળ્યો હતો. આ અચાનક આગમનથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ અવારનવાર ગીર જંગલની સીમા લાગતા ગામોમાં પ્રવેશ કરે છે. સિંધાજ ગામ છેલ્લા કેટલાક દિવસોથી સિંહ પરિવારનું અસ્થાયી રહેણાંક બની ગયું છે, જ્યાં ગામની આસપાસના વિસ્તારોમાં સિંહો ધામા નાખી રહ્યા હોવાના અહેવાલો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગ સક્રિય બન્યું…

Amreli: ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ બેલડીની લટાર, વનવિભાગ પર ઉઠયા સવાલો

બાબુ વાઢેર, જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાલાનીવાવ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. પ્રસિદ્ધ ‘લવ–કુશ’ નામની સિંહોની જોડી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી અને હાઈવે પર લટાર મારતી નજરે પડી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની વાત એ છે કે ગયા મહિને આ જ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાના અકસ્માતમાં મોત થયા હતા. તેમ છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. વારંવાર થતા વન્યપ્રાણી અકસ્માતો બાદ પણ હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જાણે ઘાતક માર્ગ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝડપી વાહન વ્યવહારના કારણે સિંહો સતત…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં ગીર જંગલ સફારીની લીધી મુલાકાત, કર્યા સિંહ દર્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી આનંદિત થયા હતા. મુખ્યમંત્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે. વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે. ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને…

સ્વપ્નમાં સિંહનો અર્થ: સપનામાં આ પ્રાણી જોવું ખૂબ જ શુભ છે, જીવનમાં અપાર સંપત્તિ અને પ્રગતિ લાવે છે.

દરેક વ્યક્તિ સૂતી વખતે સપના જુએ છે. ક્યારેક વ્યક્તિ સારા સપના જુએ છે, તો ક્યારેક તેને ડરામણા સપના આવે છે. સપના જીવન સાથે જોડાયેલા ઘણા સંકેતો આપે છે. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું કહેવામાં આવે છે કે દરેક સ્વપ્ન પાછળ વ્યક્તિના જીવન માટે કોઈને કોઈ સંદેશ છુપાયેલો હોય છે. કેટલાક સપનાના ખૂબ ઊંડા અર્થ હોય છે. ઘણીવાર સપનામાં એવું બને છે કે વ્યક્તિ પ્રાણીઓ જુએ છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં પ્રાણી જોવું એ આપણા ભાવિ જીવન માટે શુભ કે અશુભ સંકેત પણ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જો આપણે સપનામાં સિંહ જોઈએ તો તેનો શું અર્થ થાય છે. આ પણ વાંચો :- પનીર પકોડા: હોળીની મજામાં રંગ ઉમેરશે પનીર પકોડા, સ્વાદથી ભરપૂર, સ્વાદિષ્ટ નાસ્તાની માંગ રહેશે શક્તિમાં…

મુફાસા BO : ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ની શરૂઆત સારી, શાહરૂખ ખાનનો અવાજ પ્રભાવિત, જાણો કલેક્શન

હાલમાં, પેન ઈન્ડિયા ફિલ્મ ‘પુષ્પા 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. તે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે અને ભારતમાં કુલ રૂ. 1000 કરોડનો બિઝનેસ કર્યો છે. આ દરમિયાન હોલિવૂડની ફિલ્મ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ દર્શકોના મનોરંજન માટે થિયેટરોમાં આવી ગઈ છે. લાયન કિંગ ફિલ્મ ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, જેના કલેક્શનના આંકડા સામે આવ્યા છે. પહેલા બે દિવસમાં ‘મુફાસા’નું કલેક્શન કેવું રહ્યું? તમને જણાવી દઈએ કે, ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ ઘણી ભારતીય ભાષાઓમાં રિલીઝ થઈ છે. પરંતુ અભિનેતા શાહરૂખ ખાને તેના હિન્દી વર્ઝનને પોતાનો અવાજ આપ્યો છે. માત્ર શાહરુખ જ નહીં, તેના પુત્રો – આર્યન અને અબરામે પણ ફિલ્મમાં બે પાત્રોને પોતાનો અવાજ આપ્યો છે. આર્યન સિમ્બાના પાત્રને અને અબરામે…