Junagadh: ભારતી આશ્રમના લઘુમહંત સ્યુસાઈડ નોટ લખી થયા ગુમ, પોલીસે શરૂ કરી તપાસ
એક તરફ જુનાગઢમાં લીલીપરિક્રમાં મોકૂફ રાખવાને લઈ ચર્ચામાં છે. આ દરમિયાન બીજી તરફ હવે ભવનાથના ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થતાં ચકચાર મચ્યો છે. લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે. લઘુમહંત ગુમ થવાની ઘટનાને લઈ ભવનાથ પોલીસ તેમજ જુનાગઢ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને મહાદેવભારતી બાપુની શોધખોળ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ આજે વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. પોલીસે શરૂ કરી તપાસ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુના નિવાસ્થાનેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવવામાં આવ્યું છે. જોકે સ્યુસાઈડ નોટમાં કોઈના નામનો ઉલ્લેખ…







