દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ

દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની SN મેડિકલ કોલેજ સાથે ગાઢ સંબંધ હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ડૉ. અંસારી ઉત્તર પ્રદેશના હુસૈનગંજનો રહેવાસી છે અને તે ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. તેના આગ્રા જોડાણને કારણે ગુપ્તચર એજન્સીઓએ હવે શહેરમાં હાઇ એલર્ટ જાહેર કર્યો છે. આગ્રાની SN મેડિકલ કોલેજ સાથે જોડાણ સૂત્રો અનુસાર, પરવેઝ અંસારીએ ૨૦૧૫માં SN મેડિકલ કોલેજ, આગ્રાથી MBBS પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણે કોલેજમાં જ ડૉક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ માત્ર એક વર્ષ પછી, 2016માં તેણે અચાનક નોકરી છોડી દીધી અને શહેર છોડી…

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે. સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું…