કેનેડિયન પીએમ માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, બે વર્ષના રાજદ્વારી તણાવ બાદ સુધારાના સંકેતો
લગભગ બે વર્ષ સુધી ચાલેલા રાજદ્વારી તણાવ પછી હવે ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધારાના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે તેવી તૈયારીઓ ચાલી રહી છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો માટે એક મહત્વપૂર્ણ “રીસેટ મોમેન્ટ” તરીકે જોવામાં આવી રહી છે. આ મુલાકાત એવા સમયમાં યોજાવાની છે જ્યારે અમેરિકાની કડક ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક વેપારમાં અસ્થિરતા સર્જાઈ છે અને ભારત તથા કેનેડા બંને દેશો નવા વેપારી ભાગીદારોની શોધમાં છે. CEPA પર ફરીથી ચર્ચાની તૈયારી માર્ક કાર્નીની ભારત મુલાકાત માત્ર ઔપચારિક રાજદ્વારી કાર્યક્રમ નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ ભારત-કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર વાટાઘાટો ફરી શરૂ કરવાનો છે. આ કરાર દ્વારા 2030 સુધી દ્વિપક્ષીય…
કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા
કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ નિવેદન સાથે હાઈ કમિશનરે કેનેડામાં વધતી ભારતીય વિરોધી પ્રવૃત્તિઓ અને તેમાં સામેલ લોકો સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિનેશ પટનાયકે ખાલિસ્તાની જૂથોનું નામ લીધા વિના સંકેત આપ્યો કે કેટલીક તત્વો દ્વારા સર્જાતી અસુરક્ષા કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોને પણ અસર કરી રહી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “આ કોઈ ભારતીય સમસ્યા નથી, આ કેનેડિયન સમસ્યા છે.” દેશનિકાલના આંકડાઓ ચિંતાજનક કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના તાજેતરના ડેટા મુજબ: – 2024 માં 1,997 ભારતીયોને કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા. – જુલાઈ 2025 સુધીમાં, 1,891 ભારતીયોને દેશ છોડવાનું કહેવામાં આવ્યું…








