શેખ હસીનાની મુશ્કેલીમાં થયો વધારો, બાંગ્લાદેશની કોર્ટે આ કેસમાં ફટકારી 21 વર્ષની જેલની સજા
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, શેખ હસીના હાલમાં ભારતમાં છે અને જ્યાં સુધી તેઓ બાંગ્લાદેશ પાછા ન ફરે ત્યાં સુધી કોઈ તેમને સજા આપી શકે નહીં. અગાઉ, શેખ હસીનાને બાંગ્લાદેશમાં પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 17 નવેમ્બરના રોજ, એક ખાસ ટ્રિબ્યુનલે તેમને ગયા વર્ષે જુલાઈમાં તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલા “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. મહિનાઓ સુધી ચાલેલી ટ્રાયલ બાદ, બાંગ્લાદેશના સ્પેશિયલ ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં 78 વર્ષીય આવામી લીગના નેતા શેખ હસીનાને હિંસક કાર્યવાહીના “માસ્ટરમાઇન્ડ” તરીકે નામ આપ્યું હતું જેમાં સેંકડો વિરોધીઓ માર્યા ગયા…







