NEET પેપર લીક વિવાદ વચ્ચે નવા સચિવની નિમણૂક બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા

NEET પરીક્ષા અને પેપર લીકને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ ડેરી અને પશુપાલન વિભાગમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. બીજી તરફ, હાલના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીની બદલી કરીને તેમને પંચાયતી રાજ મંત્રાલયમાં મોકલવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે શિક્ષણ મંત્રાલય NEET પરીક્ષા સંબંધિત વિવાદો અને વિવિધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના કારણે સતત ચર્ચામાં છે. પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, સુરક્ષા અને જવાબદારીને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. NEET વિવાદ વચ્ચે વધ્યું રાજકીય દબાણ તાજેતરના સમયમાં NEET પરીક્ષાને લઈને અનેક…

ગુજરાત ચૂંટણી પંચના CEO તરીકે નિયુક્ત થયેલા સંદીપ સાગલે કોણ છે? જાણો તમામ વિગત

એક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાનો પાયો એટલે મ્યુનિસિપલ ચૂંટણીઓ ના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ રાજ્ય માટે નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની નિમણૂક કરી છે. પંચે 2007 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી સંદીપ સાગલેને નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ, આ ભૂમિકા IAS અધિકારી હરિત શુક્લા દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી, જેમણે ગુજરાતમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની દેખરેખ રાખી હતી. શુક્લા 1999 બેચના IAS અધિકારી છે. સાગલે અગાઉ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી. 2007 બેચના IAS અધિકારી, સંદીપ સાગલે સ્વચ્છ છબી ધરાવતા અધિકારી છે. તેમણે અગાઉ ગુજરાતના અમદાવાદના કલેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે બનાસકાંઠા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં…

દિલ્હી ખાતે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) સમિતિની મહત્વની બેઠક યોજાઈ, આ મામલે થઈ ચર્ચા

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં UCC ના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે. આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલ કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવામાં હતી. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે…

યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓને B india તરફથી સંકલિત સંદેશ

પંકજ મકવાણા, અમદાવાદ/ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા 2024 બેચના યુવા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત જે દેશના વિકાસનો રોલ મોડલ ગણાય છે, ત્યાં ફરજ બજાવવી એ તમારા માટે માત્ર તક નહીં પણ એક જનવિશ્વાસની જવાબદારી છે. આજે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં – ગ્રામ્ય વિકાસથી લઈને શહેરી સુશાસન સુધી, આરોગ્ય અને પોષણથી લઈ શિક્ષણ સુધારણા સુધી, પારદર્શી વહીવટથી લઈને પબ્લિક ગ્રિવન્સ રેડ્રેસલ સુધી, દરેક ક્ષેત્રમાં જનસેવાનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ, યુવાનોના સશક્તિકરણ, જળસંગ્રહ અને પર્યાવરણ જાગૃતિ, તેમજ ગ્રામ પંચાયતોના સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં તમે નવા વિચાર, નવી કાર્યશૈલી અને જનસંપર્કની નવી ભાષા લઈને આવો – તેવી આશા છે. તમારું નિર્મળ…

‘સિવિલ સર્વિસીસ ડે’ 21 એપ્રિલ: ભારતીય સિવિલ સેવકોના સમર્પિત કાર્યને માન આપતો દિવસ

દર વર્ષે 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે સમગ્ર દેશમાં ઊજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સિવિલ SERVANTS (સનદી અધિકારીઓ)ના કાર્ય અને ત્યાગને સન્માન આપવામાં આવે છે. સિવિલ સર્વિસીસ ડે કેમ ઉજવાય છે? આ દિવસને પસંદ કરવાની પાછળ એક ઐતિહાસિક ઘટના છે. 21 એપ્રિલ, 1947ના રોજ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે, દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે સનદી અધિકારીઓની પ્રથમ બેચને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે અધિકારીઓને “સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા” તરીકે સંબોધન કર્યું હતું જે આજે પણ સનદી સેવાઓના મહત્વને સંકેત આપે છે. સિવિલ સર્વિસીસ ડેના મુખ્ય હેતુઓ – દેશની જાહેર વહીવટ અને વિકાસના કાર્યમાં સિદ્ધિ મેળવતા અધિકારીઓને માન્યતા આપવી – નવી પહેલો, ટેલેન્ટ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવું – નાગરિક…

વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતને મળશે ૩૦ નવા IAS અધિકારીઓ, ઋષિકેશ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત

ગુજરાત વિધાનસભાના ગૃહમાં IAS અધિકારીઓની ભરતી અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યમાં ખાલી પડેલી IAS પોસ્ટ્સ વિશે પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં કુલ ૩૦ નવા IAS અધિકારીઓ જોડાશે. જેમાંથી ફેબ્રુઆરી ૨૦૨૫માં બઢતી દ્વારા ૨૦ અને પસંદગી દ્વારા ૨ અધિકારીઓનો સમાવેશ થશે, જ્યારે ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં સીધી ભરતી દ્વારા ૮ નવા IAS અધિકારીઓનો સમાવેશ થવાનો છે. –: ગુજરાતમાં હાલની સ્થિતિ :– ગુજરાત રાજ્યમાં IAS અધિકારીઓ માટે કુલ ૩૧૩ મંજુર પદો છે, જેમાં ૧૪ અધિકારીઓ કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર છે અને ૫૬ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે IAS માળખાની સમીક્ષા અને નવા પદો વધારવા માટે કેન્દ્ર સરકારને…