બાગેશ્વર ધામમાં બનશે ભારતનું પ્રથમ હિન્દુ ગામ, 1000 પરિવાર થશે સ્થાયી

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ગામ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે. બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે આ ગામ બાગેશ્વર ધામ સંકુલની અંદર જ વિકસાવવામાં આવશે, જેમાં 1,000 પરિવારો સ્થાયી થશે અને તે સંપૂર્ણપણે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર હશે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લાંબા સમયથી હિન્દુ રાષ્ટ્રની કલ્પના પર કામ કરી રહ્યા છે. તેમણે પહેલા હિન્દુ રાષ્ટ્રધ્વજની ઘોષણા કરી અને હવે હિન્દુ ગામ સ્થાપવાનો સંકલ્પ કર્યો છે. આ ગામનો પાયો બાગેશ્વર ધામ સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નાખવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વર માને છે કે હિન્દુ…

મહારાષ્ટ્રના હિન્દુઓ ઇચ્છે છે કે ઔરંગઝેબની કબરના દરેક નિશાન ભૂંસી નાખવામાં આવે: ટી રાજા

મુઘલ શાસક ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. દરમિયાન, રવિવારના રોજ પુણેમાં એક કાર્યક્રમમાં બોલતા, તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના હિન્દુઓ ઈચ્છે છે કે ઔરંગઝેબની કબર રાજ્યમાંથી દૂર કરવામાં આવે. તેમણે પૂછ્યું કે ઔરંગઝેબની કબર ક્યારે તોડી પાડવામાં આવશે? હવે મારો એક જ સંકલ્પ છે – ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો અને ઔરંગઝેબની કબર દૂર કરવાનો.”ભાજપના ધારાસભ્ય ટી રાજાએ કહ્યું, “દુર્ભાગ્ય જુઓ, આપણા છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબે કોલ્હાપુરમાં 39 દિવસ સુધી ત્રાસ આપીને પછી ફાંસી આપી . શું આપણા આજના નેતાઓને ઇતિહાસ કહેવાની જરૂર છે? જો તમે મહારાષ્ટ્રના કોઈપણ બાળકને પૂછો કે ઔરંગઝેબે સંભાજી મહારાજને કેવી રીતે માર્યા, તો મહારાષ્ટ્રનો દરેક બાળક તમને કહેશે કે ઔરંગઝેબે સંભાજી મહારાજને…