સુરત : દેશની પોલીસને ચકમો આપનાર ‘ઈરાની ડેરા’નો માસ્ટરમાઈન્ડ ઝડપાયો

દેશભરમાં છેલ્લા બે દાયકાથી પોલીસ અને તપાસ એજન્સીઓને હંફાવનાર કુખ્યાત ‘ઈરાની ડેરા’ ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે ઝડપાઈ ગયો છે. મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત ઓપરેશન હેઠળ લાલગેટ વિસ્તારમાંથી ઝડપી લીધો. રાજુ ઈરાની સામે દેશના 14 રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી, હિંસક હુમલા અને સંગઠિત ગુનાખોરીના અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુ ઈરાની સુરતમાં નવી ગુનાખોરીને અંજામ આપવાના ઇરાદે આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાથી કોઈ હિંસા કે ગોળીબાર વિના તેને ઝડપી લેવામાં આવ્યો. મધ્યપ્રદેશના ભોપાલમાં ‘ઈરાની ડેરા’ નામના મુખ્ય અડ્ડામાંથી રાજુ ઈરાની દેશભરમાં ફેલાયેલી વિવિધ પેટા ગેંગને સંચાલિત કરતો હતો. ગેંગના સભ્યો પોલીસ અથવા CBI અધિકારીના વેશમાં લૂંટ કરતા, ક્યારેક સાધુ/બાવાના વેશમાં ઘરમાં…

મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા અંતે ઝડપાયો, જાણો વિગત

લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતો જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા આખરે ઝડપાયો છે. ગુજસીટોક સહિતના અનેક ગંભીર ગુનામાં ફરાર રહેલા ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર શહેરમાંથી ઝડપી લીધો છે. પોલીસ સૂત્રો અનુસાર, ધીરેન કારિયા અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારામાં છુપાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને દબોચી લીધો હતો. ધરપકડ બાદ તેને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી આરોપી ધીરેન કારિયા સામે મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી એક્ટ તેમજ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એપ્રિલ 2025માં જૂનાગઢ શહેરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટોળકીના સભ્યો…

5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, જૂનો વિવાદ થયો શાંત

ડાયરા કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને પક્ષોએ પરસ્પર સમાધાન કરીને એકબીજાને મીઠાઈ ખવડાવી મામલાને પૂર્ણવિરામ આપ્યું છે. આ સમાધાન બાદ લાંબા સમયથી ચર્ચામાં રહેલો વિવાદ હવે શાંત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાના મૂળમાં અગાઉ થયેલી તકરાર જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. દેવાયત ખવડ એક ડાયરાના કાર્યક્રમમાં હાજર ન રહેતા બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો, જે બાદ મામલો ગંભીર બન્યો હતો. શું હતો સમગ્ર મામલો? ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામ નજીક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો હતો. તેમની ફોર્ચ્યુનર કારને કિયા કાર સાથે…

રાજકોટ: રેસકોર્સ વિસ્તારમાં 32 લાખની લૂંટ, ‘પોલીસ’ના નામે રોકડ ભરેલો થેલો હથિયાવતા ચકચાર

શહેરના રેસકોર્સ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસનો ભ્રમ પેદા કરીને વેપારી પાસેથી રૂ. 32 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી લેવાયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. વેપારી પાસે થી મોટી રકમની લૂંટ પ્રાથમિક માહિતી મુજબ, લૂંટનો ભોગ બનેલા વ્યક્તિની ઓળખ સમીર રશ્મિકાંત પંડ્યા તરીકે થઈ છે, જેઓ કૃષિ ઉત્પાદનોનો વેપાર કરે છે. લૂંટની ઘટના ત્યારે બની જયારે સમીરભાઈ રોકડ સાથે રેસકોર્સ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ‘પોલીસ’ તરીકે ઓળખી લૂંટારૂઓએ ચલાવી ચાલાકી આ કેસમાં ચાર ઈસમો સંડોવાયેલા હોવાનું મનાય છે, જેમાંથી એકનું નામ સાહેબજાદ મોટાની (ટીઆરબી/TRB જવાન) હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આરોપીઓએ પોતાને પોલીસ અથવા અધિકારીઓ તરીકે રજૂ કરી રોકડ ભરેલો થેલો જપ્ત કર્યો…