પાટીલના ઉત્તરાધિકારી કોણ? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું કોકડું ક્યાં ગૂંચવાયું!
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની ચર્ચાઓ અચાનક વેગ પકડે છે અને અચાનક ચર્ચાઓ શાંત થઈ જાય છે. ગઈકાલે છ શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી પાટીલના ઉત્તરાધિકારીના નામની ચર્ચાઓ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ગત લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારથી ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ વાતને પણ એક વર્ષ વીતી ચૂક્યું છે. બીજી તરફ ટીલે ઘણા સમય પહેલા જ આ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેમના ઉત્તરાધિકારી વિશે અટકળો ચાલી રહી છે. એક તરફ કેન્દ્રીય નેતૃત્વ હવે પાકિસ્તાન માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.…
ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું
ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત બાદ સર્જાયેલ વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગઈ છે. ગોંડલમાં યૂપી-બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. જાહેરમાં ગાડીના કાચ તૂટ્યા. ગુંડાગીરી કરવામાં આવી. જે બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું…
વિસાવદરની પેટા ચૂંટણીમાં જામશે ચાર પાંખિયો જંગ ! શંકરસિંહ વાઘેલાએ શરૂ કરી તૈયારી
ગુજરાતમાં કડી અને વિસાવદરની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસે આપ સાથે ગઠબંધન વગર લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ વિસાવદર પર ફોકસ વધારી રહ્યા છે. વિસાવદરની પેટા ચુંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે શંકરસિંહ વાઘેલાની પ્રજા ડેમોક્રેટિક પાર્ટીએ પણ તૈયરીઑ શરૂ કરી દીધી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે વિસાવદરના કાર્યકર્તાઑને સંબોધન કરશે અને પેટા ચૂંટણીની તૈયારીઑ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટયું લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળ્યું હતું. પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…
રાજ્યમાં વધુ એક લેટર કાંડ ! હવે આ ધારાસભ્ય વિરુદ્ધ નનામી લેટર થયો વાયરલ
રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. આ દરમિયાન હવે અમરેલી બાદ હવે ધોરાજી-ઉપલેટાનાં MLA મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ એક નનામી લેટર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, ધારાસભ્ય પાલડિયાએ આરોપોને ફગાવ્યા છે. હજુ અમરેલી લેટર કાંડ સતત ચર્ચામાં છે ત્યારે હવે રાજકોટ જિલ્લામાં પણ હવે નનામી પત્રથી ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યાં છે. નનામી પત્રો વાયરલ કરી કૌભાંડોની પોલ ખોલવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભાજપના ધોરાજી-ઉપલેટાના MLA મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકાયા છે. પત્રમાં તેઓ 2000 કે 3000 જેવી રકમની ઉઘરાણી કરતા હોય તેમ આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ સાથે નનામી પત્રમાં ધારાસભ્ય…
ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત
ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે. વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં…
પાટીલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું
ગુજરાતમાં રાહુલ ગાંધીનું ફોકસ વધ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધી રણનીતિ ઘડી રહ્યા છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. પાટીલે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે. રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. બે દિવસની મુલાકાતથી ગુજરાત તેમનું થઈ જશે નહીં. ગમે તેટલાં આંટાફેરા મારે તેમને કાર્યકરો પર ભરોસો નથી અને નેતાઓને રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી. જેથી તેઓ સફળ થવાના નથી. 45 દિવસમાં કોંગ્રેસ જાહેર કરશે જિલ્લા પ્રમુખ 15…
કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર, રાહુલ ગાંધીએ તૈયાર કરી આ રણનીતિ
વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની…
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું
ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ઘેરાતા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં સમજણ નથી પડતી. અમિત ચાવડાએ ભાજપ પર સાધ્યું નિશાન બીજી તરફ ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ…















