પાટીલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

ગુજરાતમાં રાહુલ ગાંધીનું ફોકસ વધ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધી રણનીતિ ઘડી રહ્યા છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી.

પાટીલે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે. રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. બે દિવસની મુલાકાતથી ગુજરાત તેમનું થઈ જશે નહીં. ગમે તેટલાં આંટાફેરા મારે તેમને કાર્યકરો પર ભરોસો નથી અને નેતાઓને રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી. જેથી તેઓ સફળ થવાના નથી.

45 દિવસમાં કોંગ્રેસ જાહેર કરશે જિલ્લા પ્રમુખ
15 એપ્રિલે અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી હતી. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ત્યાર બાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ભાજપના ‘વ્યૂહરચનાકાર’ની વિદાય: જ્યોર્જ કુરિયનના રાજીનામા પાછળનું અસલી કારણ શું?

ભાજપના રાજકારણમાં મોટો વળાંક: વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું, સંગઠનમાં ગરમાવો નવી દિલ્હી: ભારતીય રાજનીતિમાં આજે એક મોટી ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા…

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ

ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે, પરંતુ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *