કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે.

આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ઘેરાતા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં સમજણ નથી પડતી.

અમિત ચાવડાએ ભાજપ પર સાધ્યું નિશાન
બીજી તરફ ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ પર આંકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસમાં માત્ર ઘોડાઓ જ રહ્યાં છે. ગધેડાઓ હતા એ ભાજપમાં જતા રહ્યા છે. ભાજપ પણ એ ગધેડાઓને શોધતી હશે. સત્તાના નશામાં અને ગુમાનમા બેઠેલા લોકોએ સમજી લેવું જોઈએ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *