રાજ્યમાં વધુ એક લેટર કાંડ ! હવે આ ધારાસભ્ય વિરુદ્ધ નનામી લેટર થયો વાયરલ

રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. આ દરમિયાન હવે અમરેલી બાદ હવે ધોરાજી-ઉપલેટાનાં MLA મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ એક નનામી લેટર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, ધારાસભ્ય પાલડિયાએ આરોપોને ફગાવ્યા છે.

હજુ અમરેલી લેટર કાંડ સતત ચર્ચામાં છે ત્યારે હવે રાજકોટ જિલ્લામાં પણ હવે નનામી પત્રથી ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યાં છે. નનામી પત્રો વાયરલ કરી કૌભાંડોની પોલ ખોલવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભાજપના ધોરાજી-ઉપલેટાના MLA મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકાયા છે. પત્રમાં તેઓ 2000 કે 3000 જેવી રકમની ઉઘરાણી કરતા હોય તેમ આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ સાથે નનામી પત્રમાં ધારાસભ્ય અને પ્રશાસન, તંત્ર પાસેથી હપ્તા વસૂલવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

જાણો શું લખ્યું છે પત્રમાં
ભાજપ એટલે એક શિસ્ત વાળી પાર્ટી એક ભ્રષ્ટાચાર વિરુધ ની પાર્ટી કહેવાય પણ ઉપલેટા ધોરાજી ના ધારાસબ્ય મહેન્દ્રભાઈ પાડલીયા એક પોતે જ ભષ્ટાચાર માં ગાળા દુબ છે. દરેક નાના કોન્ટ્રક્ટર પાસેથી 2 હજાર, 3 હજાર ઉઘરાવે અરે દેશી દુરૂ વેચતા પાસેથી પણ મહેમાન ગતિ ના પૈસા લેવામાં આવે છે. આટલી હલકી અને નિમ્ન કક્ષાના ધારાસભ્ય ક્યાય હોય નહિ અને જોયેલા નથી તેટલી હલકા આ ધરાસભ્ય મહેન્દ્ર પાડલીયા છે.

પોલીસ સ્ટેસન પરથી હપ્તા લેવા ના, પી જી વી સી એલ ના એન્જીનીયર પાસેથી હપ્તા લેવાના. મામલતદાર પાસેથી હપ્તા લેવાના, ડેપ્યુટી કલેકટર પાસેથી હપ્તા લેવાના, તાલુકા વિકાસ અધિકારી પાસેથી હપ્તા લેવાના તે હપ્તા પણ ઉપલેટા સર્કીટ હાઉસ ખાતે આ રાજા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાને પહોચાડવાના. પાડલીયા જયારે કુલપતિ હતા ત્યારે પણ તેમને આવા જ ધંધા કરેલા છે. સાચો અને નિષ્ઠા વાળો કાર્યકર આ ભષ્ટાચાર પાસે બીચાળો થઇ ગયો છે. હવે આમાંથી બચાવો તેવી બુમ આમ જનતા માંથી નીકળી રહી છે.

સાચા અને નિષ્ઠા વાળા કાર્યકરને આ ધારસભ્ય પોલીસ દ્વારા માર ખવરાવે તેવી હલકી પ્રકારના આ ધારાસભ્ય છે. કોઈ આ ધારાસભ્ય માંથી બચાવો તેવી કાર્યકર અને લોકો માં માંગ ઉઠી છે. ઉપલેટા નગર પાલિકામાં પણ એટલો જ ભષ્ટાચાર ચીફ ઓફિસરને સાથે રાખી દરેક પ્રકારના આ કચેરીમાં છેલા 2 વર્ષ થયા વહીવટદારના સાસનમાં ભષ્ટાચાર આચરેલ છે. મહિલા ચીફ ઓફિસર સાથે દરેક કામ માં ભાગીદારી આ શું કરવા બેઠું છે. અત્યારે નગરપાલિકામાં આ મહેન્દ્ર પાડલીયાનો વ્યભિચારી એક માણસ જેનું નામ જીગ્નેશ ડેર આખો દિવસ નગરપાલિકામાં પડયો પાથર્યો રહે અને ભષ્ટાચાર અને વ્યભિચાર પણ કરે છે. આ જીગ્નેશ ડેર મોટો વ્યભિચારી માણસ છે. તેને મહેન્દ્ર પાડલીયા સાથે રાખે છે. અત્યારે નવી કમિટી આ ધારાસભ્ય દ્વારા બનાવામાં આવી તેમાં પણ ખુબ મોટો ભ્રષ્ટાચાર થાય અને વ્યભિચાર થાય તે રીતે કામ કરી રહ્યા છે. આમાં કાર્યકર બિચારો અને નાનો થઇ ગયો છે. હવે દરેક કાર્યકર થાકી ગયો છે. માટે આવા ધારાસભ્ય થી બચાવો અને સાચા કાર્યકરની અહી કોઈ નોંધ જ નથી. હમણાં નગર પાલિકાની ચુટણી થયેલી તેમાં પણ ટીકીટ આપવામાં કરોડો નો વહીવટ કરેલો અને જેણે ભાજપ સાથે કઈ લેવાદેવા નથી તેવા ગુંડા અને માફિયા લોકો ને ટીકીટ આપી ભાજ૫ના ધજાગરા કરેલા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે તો આ ૪ લોકો પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેમ હતા. ઘટનાની જાણ થતાં જ ડોલવણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી. આઈ. કે.ડી. શર્મા પોતાની ટીમ સાથે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા. સ્થિતિ અત્યંત ગંભીર હતી અને પાણીનું સ્તર છાતીસમા ઊંડાણ સુધી પહોંચી ગયું હતું. જોકે, આવી પરિસ્થિતિમાં પણ ક્ષણનોય વિલંબ કર્યા વગર, પોતાની સુરક્ષા કે જીવની સહેજ પણ પરવા કર્યા વિના પી. આઈ. કે.ડી. શર્મા અને તેમની ટીમે પાણીમાં ઝંપલાવ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનની ગંભીરતાને ધ્યાને રાખી તાપીના નાયબ પોલીસ અધીક્ષક (DYSP) પી. જી. નરવાડે જાતે જ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે સ્થળ પર રહીને સમગ્ર ઓપરેશનનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પોલીસ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉચ્ચ અધિકારીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને યોગ્ય આયોજનને કારણે પોલીસ ટીમે સમયસૂચકતા વાપરીને અત્યંત સાહસપૂર્વક ચારેય નાગરિકોને સુક્ષમ રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. ખાખી વર્દી પાછળ છુપાયેલી અસલ માનવતા સામાન્ય રીતે પોલીસની છબી કડક કે શિસ્તબદ્ધ અધિકારી તરીકેની હોય છે, પરંતુ જ્યારે પણ નાગરિક મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આ ખાખી વર્દી જ તેમની ઢાલ બનીને ઊભી રહે છે. ‘સેવા, સુરક્ષા અને શાંતિ’નું સુત્ર માત્ર કાગળ પર કે બોર્ડ પર લખવા પૂરતું નથી, પરંતુ તેને વર્તનમાં કેવી રીતે ઉતારવું તે ડોલવણ પોલીસે આ કામગીરી દ્વારા સાબિત કરી બતાવ્યું છે. પૂર જેવા મોત સમાન ભયની વચ્ચે ઊભા રહીને ૪ જીંદગીઓને નવજીવન આપવું એ કોઈ સામાન્ય કામ નથી, પરંતુ એક અદ્ભુત અને પ્રેરણાદાયી સાહસ છે. સમગ્ર પંથકમાંખાખીની બહાદુરીના વખાણ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામજનો અને તાપી જિલ્લાના નાગરિકો દ્વારા ડોલવણ પોલીસ તેમજ સમગ્ર તાપી પોલીસ વિભાગ પર પ્રશંસાની વર્ષા થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયાથી લઈને પ્રત્યક્ષ રીતે પણ પોલીસની આ ઉત્કૃષ્ટ અને સાહસિક કામગીરીને બિરદાવી રહ્યા છે. ભયાનક પૂર વચ્ચે પોતાની ફરજને સર્વોપરી ગણીને લોકોના પ્રાણ બચાવનાર ડોલવણ પોલીસની આ બહાદુરી ખરેખર સલામને પાત્ર છે. અહેવાલ: ગૌતમ ગુલાલે (તાપી)   Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive  X : https://x.com/bindia276  

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક સંબંધિત રજૂઆતોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી માટે અહેવાલ રજૂ કરવાની પણ છે. સાથે જ વિભાગ વિવિધ ખાતાઓની કાર્યપદ્ધતિની સમીક્ષા કરીને પારદર્શિતા અને ગુણવત્તા સુધારવા માટે પણ કામગીરી કરે છે. લેખિત અથવા ઈ-મેઇલથી પણ કરી શકાય રજૂઆત નાગરિકો પોતાની લેખિત ફરિયાદ વિજિલન્સ ખાતું, પહેલો માળ, C-બ્લોક, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ – 380001 ખાતે જમા કરાવી શકે છે. ઉપરાંત vigilance@ahmedabadcity.gov.in પર ઈ-મેઇલ દ્વારા પણ ફરિયાદ અથવા રજૂઆત મોકલી શકાય છે. દસ્તાવેજી પુરાવા તપાસને વધુ અસરકારક બનાવે છે ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજો, ફોટોગ્રાફ, વીડિયો અથવા અન્ય આધારભૂત માહિતી રજૂ કરવામાં આવે તો તપાસ વધુ અસરકારક બની શકે છે. અંતિમ નિર્ણય તપાસમાં સામે આવેલા તથ્યો અને સક્ષમ સત્તાના નિર્ણય પર આધારિત રહે છે. ઉચ્ચ અધિકારીનો દાવો: વિજિલન્સ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, “વિભાગને મળતી દરેક રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવે છે. પ્રાથમિક ચકાસણી બાદ તથ્યોના આધારે તપાસ કરવામાં આવે છે અને જ્યાં જરૂરી હોય ત્યાં સક્ષમ સત્તાને નિયમ મુજબ કાર્યવાહી માટે અહેવાલ મોકલવામાં આવે છે. કોઈપણ ફરિયાદ માત્ર કાગળ સુધી મર્યાદિત ન રહે, તે માટે પ્રક્રિયાત્મક દેખરેખ રાખવામાં આવે છે.”   Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive  X : https://x.com/bindia276  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *