ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર

જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે.

પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસર કરશે તો જગદીશ વિશ્વકર્મા માટે પડકાર રહેશે.

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન નેતાઓ પક્ષથી ઉપરવટ થઈ અને સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડવા લાગ્યા છે. આવનાર સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન ચૂંટણીમાં નેતાઓને ટિકિટ ફાળવણી અને જ્ઞાતી સમીકરણો સાધવા પણ જગદીશ વિશ્વકર્મા માટે પડકાર રૂપ બની શકે છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં હવે જૂની-નવી ભાજપ બનવા લાગી છે. ત્યારે આયાતું નેતાથી મૂળ ભાજપના નેતાને જે જોખમનો અનુભવ થાય છે તે દૂર કરવો. જોકે જગદીશ વિશ્વકર્મા સરકાર અને સંગઠન બંનેનો અનુભવ હોવાથી આવનાર સમયમાં આ અનુભવ ઉપયોગી થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એક દિવસનો પ્રવાસ અને ૫૬ મેગા પ્રોજેક્ટ્સ! નમો એરપોર્ટથી લઈને આઇકોનિક બ્રિજ સુધી…

PM મોદી 5 જૂને દમણની ઐતિહાસિક મુલાકાતે: ₹૨,૯૭૦ કરોડના ૫૬ મેગા પ્રોજેક્ટ્સ સાથે ‘નવા ભારત’નો ઉદય! દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ઈતિહાસમાં ૫ જૂન…

અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ

*અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ* ***** *ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરી કામગીરીની રૂપરેખા રજૂ કરી* ***** *જિલ્લામાં જનગણના માટે ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *