ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર

જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે.

પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસર કરશે તો જગદીશ વિશ્વકર્મા માટે પડકાર રહેશે.

ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન નેતાઓ પક્ષથી ઉપરવટ થઈ અને સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડવા લાગ્યા છે. આવનાર સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન ચૂંટણીમાં નેતાઓને ટિકિટ ફાળવણી અને જ્ઞાતી સમીકરણો સાધવા પણ જગદીશ વિશ્વકર્મા માટે પડકાર રૂપ બની શકે છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં હવે જૂની-નવી ભાજપ બનવા લાગી છે. ત્યારે આયાતું નેતાથી મૂળ ભાજપના નેતાને જે જોખમનો અનુભવ થાય છે તે દૂર કરવો. જોકે જગદીશ વિશ્વકર્મા સરકાર અને સંગઠન બંનેનો અનુભવ હોવાથી આવનાર સમયમાં આ અનુભવ ઉપયોગી થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં ચૂંટણીનો ગણગણાટ! પક્ષોની રણનીતિ તેજ, કોણ મારશે બાજી?

ગુજરાતનું રાજકીય રણમેદાન ગરમાયું: આગામી ચૂંટણી માટે પક્ષોની કવાયત તેજ, રણનીતિ અને નવા સમીકરણો પર નજર! ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હજુ દૂર હોવા છતાં રાજકીય પક્ષોએ અત્યારથી જ કમર કસી લીધી છે. તમામ નાના-મોટા પક્ષો સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને મતદારો સુધી પહોંચવા માટે આક્રમક રણનીતિ અપનાવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં અત્યારે એક તરફ જૂની પેઢીનો અનુભવ તો બીજી તરફ નવા ચહેરાઓના ઉત્સાહનો સંગમ જોવા મળી રહ્યો છે. પક્ષોની બદલાતી રણનીતિ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષોએ પોતાની કાર્યશૈલીમાં મોટો બદલાવ કર્યો છે: માઈક્રો-મેનેજમેન્ટ: દરેક બેઠક દીઠ અલગ રણનીતિ બનાવવા માટે ‘વોર રૂમ’ સક્રિય કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર-ઘર સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકસંપર્ક અભિયાન: નેતાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જનસભા, સંવાદ અને પદયાત્રાઓનું…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે માત્ર વાતાવરણમાં જ ઠંડક નથી પ્રસરાવી, પરંતુ ખેડૂતોની વર્ષભરની આશાને પણ જીવંત કરી દીધી છે. વરસાદનું આગમન અને ખેડૂતોની આશા ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલો આ વરસાદ ખેતીના વિવિધ પાકો માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે. ખાસ કરીને ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ ‘સોના જેવો વરસાદ’ છે. પાકને જીવનદાન: જે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી, તેમના માટે આ વરસાદ પાકને નવું જીવન આપનારો સાબિત થયો છે. હવે પાકના ઝડપી વિકાસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *