BJP નેતાએ જાતિ આધારિત જનગણનાને લઈ કર્યું ધગધગતું ટ્વીટ, કર્ણનો કર્યો ઉલ્લેખ

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન મોદીની ગુડબૂકમાં સ્થાન ધરાવતા જાણીતા સામાજિક ચિંતક ડૉ. ભરત કાનાબારે જાતિ આધારિત જનગણનાને લઈ એક મહત્વનનું ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે સમાજમાં ચાલતા જાતિવાદના વિરોધમાં કડક શબ્દોમાં પ્રહારો કર્યો છે.

ટ્વીટમાં ડૉ. ભરત કાનાબારે મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણનું એક પ્રસંગ ટાંક્યો છે. તેમણે કહ્યું, જાતિ ! હાય રે જાતિ ! કર્ણ કયા હદય ક્ષોભસે ડોલા, કુપિત સુર્યકી ઓર દેખ વાહ વીર ક્રોધ સે બોલા. “જાતિ- જાતિ રતટે, જિનકી પૂંજી કેવલ પાષંડ , મે ક્યાં જાનું જાતિ? જાતિ હૈ મેરે ભુજદંડ ઉપર સીર પર કનક-છત્ર, ભીતર કાલે કે કાલે, શર્માટે નહીં જગતમે જાતિ પૂછનેવાલે.

આ પણ વાંચો: Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ

ડૉ. ભરત કાનાબાર અનેક વાર પોતાના પક્ષ અને અધિકારીઑના કાન આમળતા રહ્યા છે. આ દરમિયાન હવે ફરી એક વખત જાતિગત વસ્તી ગણતરી મામલે ડૉ કાનાબરે X પર પોસ્ટ કર્યું છે. સાથે તેમણે ટ્વિટ પર વડાપ્રધાન મોદી, જે.પી.નડ્ડા, અમિત શાહ સહિતના શીર્ષ નેતૃત્વને ટેગ કર્યા છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પસાર કર્યા અનેક મહત્વપૂર્ણ બિલ, FCRA સુધારા વિધેયક પર સૌની નજર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત હોબાળા અને વિરોધ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાના વિધાયી એજન્ડાને ઝડપથી આગળ ધપાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના વિરોધ છતાં સરકારે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના વિધેયકો પર વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી અને ગૃહમાં હંગામા વચ્ચે જ તેમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારનું આગામી લક્ષ્ય વિદેશી ફાળો નિયમન કાયદા (FCRA)માં સુધારા માટેનું વિધેયક માનવામાં આવી રહ્યું છે. સતત હોબાળાથી પ્રભાવિત થઈ રહી છે સંસદની કાર્યવાહી ચોમાસુ સત્રના શરૂઆતના દિવસથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર થતાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળની કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી…

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *