Games: IWLF એથલીટ કમિશનની અધ્યક્ષ બની મીરાબાઈ ચાનુ

ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી જાણીતી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી છે. આ ચૂંટણી મંગળવારે યોજાઈ, જેમાં મીરાબાઈને ખેલાડીઓ તરફથી સર્વાનુમતે સમર્થન મળ્યું, અને એ વિજય સાથે નવી ભૂમિકા માટેની શરૂઆત કરી. મીરાબાઈ ચાનુએ શું કહ્યું? પદ સંભાળ્યા બાદ મીરાબાઈએ કહ્યું,”આ મારી માટે ગર્વની ક્ષણ છે. ખેલાડીઓનો અવાજ ઊઠાવવો એ એક મોટી જવાબદારી છે અને હું એ પદ પર સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કામ કરીશ.” તેણીએ વધુમાં ઉમેર્યું,”મારું લક્ષ્ય એ રહેશે કે તમામ વેઈટલિફ્ટરો બાહ્ય દબાણ વિના તેમના ખેલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેઓની સમસ્યાઓને યોગ્ય ફોરમ સુધી પહોંચાડવી મારી મહત્વની ભૂમિકા રહેશે.” મીરાબાઈ ચાનુ જે રીતે…

Amreli : અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા, કાપા મારવાનું કારણ અકબંધ

અમરેલીના મુંજિયાસર જેવી ઘટના બનાસકાંઠાના ડીસામાં બની હતી. જેમાં સાત થી આઠ બાળકોએ બ્લેડ વડે હાથ પર કાપા માર્યા છે,જેના કારણે બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે કેમ કાપા માર્યા તેનું કારણ સામે આવ્યું નથી. જો કે, મોબાઇલ ગેમ્સના પ્રભાવથી કાપા માર્યાની આશંકા શાળાના સંચાલકો સેવી રહ્યાં છે,તો શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે. હાથ પર બ્લેડ મારતા બાળકોનું શાળામાં કાઉન્સેલિંગ કરાયું હતુ,તો બાળ સુરક્ષા અધિકારીની હાજરીમાં બાળકોનું કાઉન્સેલિંગ કરાયું છે.ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ હાથધરી છે અને શાળા પાસે રીપોર્ટ પણ માંગ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર અમરેલીમાં પણ બની હતી આવી ઘટના :- અમરેલીના મોટામુંજિયાસરની શાળામાં 40 વિદ્યાર્થીઓએ હાથ…