બિહારનો બાજીગર કોણ..? | | GUJARATI NEWS BULLETIN

ઘણા સમયની આતુરતાનો અંત…શું લાગી રહ્યું છે કોણ બનશે બિહારનો બોસ એક્ઝિટ પોલના જે આંકડાઓ જાહેર થયા શું લાગી રહ્યું તે તરફી જ પરીણામ છે કે કેમ કહી શકાય કે મત ગણતરીની દોડ શરૂ થઈ ગઈ છે અને આ એકલ દોડ નહી પણ રીલે રેસ છે કારણ કે આમાં એક પાર્ટનર કેટલી સીટો લાવશે અને બીજો પાર્ટનર કેટલી સીટો લાવશે તે મહત્વનું રહેશે

Bihar: પરિણામો પહેલા નીતિશ કુમારે નેહરુને કર્યા યાદ, RJDએ જાણો શું કહ્યું

આજે બિહારની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ દરમિયાન, મત ગણતરી પહેલા, આરજેડી નેતા મનોજ ઝાએ જીતનો દાવો કર્યો છે. તેમણે બધા એક્ઝિટ પોલ્સને ફગાવી દેતા કહ્યું, “આ બધું મૂડીનો ખેલ છે. આ બજારનું કામ છે અને સમ્રાટનો ખેલ છે. તેથી, હું કોઈપણ એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતો નથી. બપોર સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે, અને તેજસ્વી યાદવના નેતૃત્વમાં, બિહાર પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે.” આરજેડી સાંસદે કહ્યું, “બિહાર આશા અને પરિવર્તનથી ભરેલું છે. આજે બપોર સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે.” પપ્પુ યાદવે ચૂંટણીમાં પરિવર્તનની આશા પણ વ્યક્ત કરી. તેમણે ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે તે જૂઠું બોલ્યા વિના કોઈ પણ ચૂંટણી જીતી શકતું નથી. પપ્પુ યાદવે કહ્યું કે આ લોકો નીતિશ કુમારને પણ…

27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 28 બેઠકો પર આગળ છે.આ પહેલા 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સમયે ભાજપે 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બનાવ્યા હતા.દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીમાં AAPના પ્રદર્શન પર કટાક્ષ કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું- હજુ લડો અંદરો-અંદર… કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.. તો સીએમ આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસનો ફરીએકવાર દિલ્હીમાં ભારે રકાસ થયો છે.. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના પુત્ર સંદિપ દિક્ષિતે કહ્યું હતું કે અમે મુદ્દા ઉઠાવ્યા પરંતુ જનતાએ અમારા પર…

ભાજપના પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હરાવ્યા, મનિષ સિસોદીયા પણ હાર્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એક તરફ, AAP કારમી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમને હરાવ્યા. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા. અરવિંદ કેજરીવાલને 11મા રાઉન્ડનું કાઉન્ટિંગ પુરુ થયા પછી કુલ 22057 મત મળ્યા. જ્યારે પ્રવેશ વર્માને 25 હજારથી વધુ મત મળ્યા. નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં કુલ 13 રાઉન્ડનું કાઉન્ટિંગ થશે. કોંગ્રેસના ઉમેદવાર સંદિપ દિક્ષિતને માત્ર 3873 મત મળ્યા. કાઉન્ટિંગની શરૂઆતથી જ, અરવિંદ કેજરીવાલ પ્રવેશ વર્માથી પાછળ હતા. -> ભાજપ 47 બેઠકો પર આગળ છે :- તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી…

હાર પર કેજરીવાલનીપ્રતિક્રિયા ‘ હવે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવા સાથે સમાજની સેવા કરીશું’

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તેને અમે સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત બદલ અભિનંદન આપું છું. જનતાએ તેમને જે બહુમતી આપી છે તે અપેક્ષાઓ પર તેઓ ખરા ઉતરશે. -> અમે સત્તા માટે રાજકારણમાં નથી આવ્યા – અરવિંદ કેજરીવાલ :- અરવિંદ કેજરીવાલે કહ્યું, “લોકોએ છેલ્લા 10 વર્ષમાં અમને તક આપી. અમે ઘણું કામ કર્યું. અમે શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી અને અન્ય ઘણી રીતે લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. હવે, લોકોએ અમને જે નિર્ણય આપ્યો છે, અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું પણ અમે સમાજ સેવા પણ કરીશું, લોકોના સુખ-દુઃખમાં મદદ કરીશું, અને વ્યક્તિગત રીતે,…