ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં, ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવા ભક્તોમાં રોષ

ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી શકશે નહી. આજથી તમામ આરતી માટે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ઉભા રહી શકાશે નહી અને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે. આ પણ વાંચો :- દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે 22/11/24 ના રોજ આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જેમાં તે સમયે વારાદારી નીચે…

અમદાવાદમાં વર્ષો જૂની પરંપરા પુનઃશરૂ, નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

અમદાવાદમાં આજે ઉજવણીનો માહોલ છે. આજે અમદાવાદ સ્થાપના દિવસ અને મહાશિવરાત્રી પર્વની સાથે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન હાથ ધરાયું છે. 614 વર્ષ બાદ ભદ્રકાળી મંદિરથી નગરદેવીની નગરયાત્રા નીકળી છે. નગરદેવીની નગરયાત્રાને લઈને ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરના મહારાજ, મેયર પ્રતિભા જૈન અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું છે. નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે. નગરયાત્રા ત્રણ દરવાજા પાસે પહોંચતા જ ભાજપના કોર્પોરેટર પંકજ ભટ્ટ દ્વારા આરતી ઉતારવામાં આવી, આ સાથે જ મુસ્લિમ સમુદાય દ્વારા…