‘સિવિલ સર્વિસીસ ડે’ 21 એપ્રિલ: ભારતીય સિવિલ સેવકોના સમર્પિત કાર્યને માન આપતો દિવસ
દર વર્ષે 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે સમગ્ર દેશમાં ઊજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સિવિલ SERVANTS (સનદી અધિકારીઓ)ના કાર્ય અને ત્યાગને સન્માન આપવામાં આવે છે. સિવિલ સર્વિસીસ ડે કેમ ઉજવાય છે? આ દિવસને પસંદ કરવાની પાછળ એક ઐતિહાસિક ઘટના છે. 21 એપ્રિલ, 1947ના રોજ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે, દિલ્હીના મેટકાફ હાઉસ ખાતે સનદી અધિકારીઓની પ્રથમ બેચને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે અધિકારીઓને “સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા” તરીકે સંબોધન કર્યું હતું જે આજે પણ સનદી સેવાઓના મહત્વને સંકેત આપે છે. સિવિલ સર્વિસીસ ડેના મુખ્ય હેતુઓ – દેશની જાહેર વહીવટ અને વિકાસના કાર્યમાં સિદ્ધિ મેળવતા અધિકારીઓને માન્યતા આપવી – નવી પહેલો, ટેલેન્ટ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવું – નાગરિક…







