કેનેડામાં ભારતીય યુવક પર જીવલેણ હુમલો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના 37 વર્ષીય યુવક ચંદા કુમાર પર દિવસ દરમિયાન ગોળીબાર થઈ ઘટના સામે આવી છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમના મોતની જાણ થઈ છે. ઘટના સ્થળ પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો વુડબાઇન શોપિંગ સેન્ટર પાસે આવેલા ખુલ્લા પાર્કિંગ લોટમાં થયો હતો. હુમલાખોરોએ અચાનક ચંદા કુમારના વાહન પર ગોળીબાર કર્યો, જેના કારણે ચંદા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેઓ જીવંત બચી શક્યા નહોતા. હુમલાખોરોની શોધખોળ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આસપાસના CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હુમલાની પાછળના…
કેનેડામાં ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવરે દેખાડ્યો માનવતાનો અનોખો દાખલો, જાણો વિગત
કેનેડાના કેલગરી શહેરમાં એક માનવતાભર્યો અને અવિસ્મરણીય બનાવ સામે આવ્યો છે. ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર હરદીપ સિંહ તૂરે પોતાની સમજદારી અને હિંમતથી ગર્ભવતી મહિલા અને તેના બાળકના જીવનને સુરક્ષિત બનાવ્યું. તાત્કાલિક કોલ મળતાં જ દંપતીને હોસ્પિટલ લઈ ગયા એક રાત્રે હરદીપ સિંહ તૂરને તાત્કાલિક કોલ મળ્યો હતો, જેમાં એક દંપતીને હોસ્પિટલ પહોંચાડવાની જરૂર હતી. કોઈ પણ વિલંબ કર્યા વગર હરદીપ પોતાની ટેક્સી લઈને દંપતીને લેવા પહોંચ્યા અને તરત જ હોસ્પિટલ તરફ રવાના થયા. રસ્તામાં જ શરૂ થઈ પ્રસવ પીડા રસ્તામાં જ ગર્ભવતી મહિલાને ભારે પ્રસવ પીડા શરૂ થઈ. સ્થિતિ અત્યંત નાજુક હતી. સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, પરંતુ ખરાબ હવામાન અને સમયની તાકીદને કારણે હરદીપે ટેક્સીને જ સૌથી ઝડપી અને સુરક્ષિત વિકલ્પ માન્યો. ટેક્સીની પાછળની…
કેનેડામાં ફરી એક PIA ક્રૂ સભ્ય ગાયબ, ત્રણ વર્ષમાં 15થી વધુ કર્મચારી લાપતા
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નો વધુ એક ફ્લાઇટ એટેન્ડન્ટ કેનેડામાં ગાયબ થયો છે. સિનિયર ક્રૂ મેમ્બર આસિફ નજમ 16 નવેમ્બર 2025એ લાહોરથી ટોરોન્ટો પહોંચ્યા હતા, પરંતુ 19 નવેમ્બર રોજ પરત ફરતી ફ્લાઇટ પર ડ્યુટી માટે હાજર રહ્યા નહોતા. એરલાઇન દ્વારા સંપર્ક કરતા તેમણે પોતાની તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવ્યું, ત્યારબાદ તેમનો ફોન બંધ મળી આવ્યો અને ત્યારથી કોઈ સંપર્ક થયો નથી. PIAએ જણાવ્યું છે કે જો તેમનો ગાયબ થવાનો કેસ ગેરકાયદેસર હોવાનું સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અસિફ નજમનું ગાયબ થવું આ વર્ષે કેનેડામાં PIA સ્ટાફ સાથે બનેલી ત્રીજી ઘટના છે. છેલ્લા ત્રણ વર્ષમાં 15થી વધુ PIA કર્મચારી કેનેડામાં લેઓવર દરમિયાન લાપતા થઈ ચૂક્યા છે. 2024 અને 2023માં પણ અનેક ક્રૂ મેમ્બર્સ ટોરોન્ટો પહોંચ્યા પછી…
કેનેડાના ઇમિગ્રેશન ફેરફારોથી ભારતીયો પર ડબલ અસર, H-1B ધારકો માટે નવા દરવાજા ખૂલ્યા
કેનેડાએ પોતાની ઇમિગ્રેશન નીતિમાં દાયકા પછીનો સૌથી મોટો ફેરફાર જાહેર કર્યો છે જેના સીધા પ્રભાવ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર પડશે. સરકારના નવા નિર્ણય મુજબ 2026થી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં 25 થી 32 ટકા સુધી ઘટાડો કરવામાં આવશે. એટલે કે, સ્ટડી પરમિટની સંખ્યા 2026માં 1.55 લાખ અને 2027-28માં 1.50 લાખ સુધી મર્યાદિત રહેશે હાલની સંખ્યાથી લગભગ અડધું. ભારતીય વિદ્યાર્થીઓ પર અસર: ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કનેડાની યુનિવર્સિટીઝમાં પ્રવેશ લે છે. નવી મર્યાદાઓને કારણે સ્ટડી વિઝા મેળવવામાં સ્પર્ધા વધશે અને ઘણા વિદ્યાર્થીઓને વિકલ્પરૂપે અન્ય દેશોમાં જોબ કે અભ્યાસની તક શોધવી પડશે. H-1B ધારકો માટે ખુશખબર: બીજી તરફ, કનેડા સરકારે H-1B વિઝા ધારકો અને આંતરરાષ્ટ્રીય સંશોધકો માટે નવી “ફાસ્ટ એન્ટ્રી રૂટ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી અમેરિકા…
કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા
કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ નિવેદન સાથે હાઈ કમિશનરે કેનેડામાં વધતી ભારતીય વિરોધી પ્રવૃત્તિઓ અને તેમાં સામેલ લોકો સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિનેશ પટનાયકે ખાલિસ્તાની જૂથોનું નામ લીધા વિના સંકેત આપ્યો કે કેટલીક તત્વો દ્વારા સર્જાતી અસુરક્ષા કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોને પણ અસર કરી રહી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “આ કોઈ ભારતીય સમસ્યા નથી, આ કેનેડિયન સમસ્યા છે.” દેશનિકાલના આંકડાઓ ચિંતાજનક કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના તાજેતરના ડેટા મુજબ: – 2024 માં 1,997 ભારતીયોને કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા. – જુલાઈ 2025 સુધીમાં, 1,891 ભારતીયોને દેશ છોડવાનું કહેવામાં આવ્યું…











