નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી હતી. ભારતના શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર (નાગપુર), ચંડીગઢ અને આસામ (ગુવાહાટી)માં પણ બસો ફાળવવામાં આવી છે. રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 50 બસોની ભેટ આપવામાં આવી…

ઝાલોદના યુવાનની આગવી સૂઝબુઝથી બસમાં બેઠેલા 70 મુસાફરોનો બચાવ

–:રાજસ્થાન રોડવેજની બસની બ્રેક ફેઇલ થતાં મચ્યો હાહાકાર:– ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં રહેતા યુવાન ઝહીરખાન પઠાણે પોતાની તીવ્ર સૂઝબુઝથી બસમાં બેઠેલા અંદાજીત 70 મુસાફરોનું જીવન બચાવ્યું. તેઓ અંગત કામ માટે બાંસવાડા ગયા હતા અને પરત આવતા રાજસ્થાન રોડવેજની બસમાં બાંસવાડા થી કુશલગઢ તરફ મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેઓ ઉભા રહ્યા હતા. –: બસની બ્રેક ફેઇલ અને ચકચાર :– જ્યારે બસ બડૌદીયા ગામમાંથી આગળ વધી અને કલીંજરા ગામ પાસે પહોંચી, ત્યારે ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બ્રેક કામ કરી નહોતી. બ્રેક ફેઇલ થતા જ બસમાં બુમાબુમ મચી ગઈ અને મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ડ્રાઈવર પણ ભયભીત થઈ ગયા હતા. –: ઝાલોદના યુવકની તત્કાળ કામગીરી :– આ ગંભીર પરિસ્થિતિમાં ઝહીરખાન પઠાણે તત્કાલ…

કુંભમાં જઇ રહેલા યાત્રિકોને નડ્યો અકસ્માત, બોલેરો કાર-બસ સામ-સામે અથડાતા 10ના મોત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. દરમિયાન, મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે. બોલેરોમાં સવાર બધા જ પુરુષો હતા, જેમની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હતી. આ અકસ્માતમાં બધાએ પોતાના જીવ ગુમાવ્યા છે. -> છત્તીસગઢના શ્રદ્ધાળુઓ બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા :- મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી રાત્રે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા…

અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 20 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી

GUJARAT ACCIDENT NEWS B INDIA : અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ હતી, એમાં સવાર આશરે 20 મુસાફરને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે 4થી 5 લોકોને ગંભીર ઇજા થતાં જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા.   અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને અકસ્માત નડ્યો દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી આશરે 20 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા   એ દરમિયાન દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે 15થી 30 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક આવેલા ઓવરબ્રીજની બાજુમાં આવેલી…