સંબંધોને લાંછન લગાવાનો કિસ્સો, અમદાવાદમાં કળયુગી પુત્રએ કરી પિતાની હત્યા

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં સબંધોને લાંછન લગાવાનો કિસ્સો બન્યો છે. પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહતમાં રહેતા એક યુવકનો પિતા સાથે ઝઘડો થયો હતો અને તેમણે પિતાને ફેંટો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક તેની માતા સાથે ઝઘડો કરતા હોઈ તેના મોટાપુત્રએ હત્યા કરી દીધી હોવાનુ બહાર આવ્યુ છે. આ અંગે માતાએ પુત્રની સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કરી ધરપકડ બાપુનગર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય…

અમદાવાદમાં બે હિટ એન્ડ રનની ઘટના, બે વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે હિટ એન્ડ રન કેસમાં બે વૃધ્ધોના મોત નિપજ્યા હતા. જેમાં બંને બનાવોમાં વોકિંગ કરવા નીકળેલ વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત થયા હતા. ત્યારે ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. –> વિક્રમસિંહ ઝાલાનું બાઇકચાલકની અડફેટે મોત:- નિકોલમાં રહેતા 64 વર્ષીય વિક્રમસિંહ ઝાલા નિવૃત જીવન ગુજારતા હતા. સોમવારે વહેલી સવારે તેઓ ઘરેથી વોકિંગ કરવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ચાલતા ચાલતા તેઓ બાપુનગર બીઆરટીએસ એપ્રોચ પાસે પહોચ્યા તે સમયે રેલિંગની અંદર ચાલતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા બાઇકચાલકે તેમને અડફેટે લેતા ફ્ંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકોએ તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર…