બાંગ્લાદેશમાં BNPની જીત પર PM મોદીએ પાઠવી શુભકામના, તારિકની પાર્ટીએ જાણો શું કહ્યું
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની સરકારના પતન પછી પહેલી વાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. આ ચૂંટણીમાં, તારિક અનવરના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ બે તૃતીયાંશ બહુમતી સાથે પ્રચંડ વિજય મેળવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તારિક અનવરને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમના અભિનંદનથી ખુશ થઈને, BNP એ ચૂંટણીઓને માન્યતા આપવા બદલ ભારતનો આભાર માન્યો છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતી વખતે, BNP એ આશા વ્યક્ત કરી કે નવી સરકારના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. BNPની સ્થાયી સમિતિના સભ્ય અને 2026ની ચૂંટણી માટે મુખ્ય સંયોજક નઝરુલ ઇસ્લામ ખાને કહ્યું કે પાર્ટી મોદી દ્વારા જનાદેશને માન્યતા આપવા બદલ પ્રશંસા કરે છે. તેમણે કહ્યું, “અમારા નેતા તારિક રહેમાનને અભિનંદન આપવા બદલ…
શેખ હસીનાની મુશ્કેલીમાં થયો વધારો, બાંગ્લાદેશની કોર્ટે આ કેસમાં ફટકારી 21 વર્ષની જેલની સજા
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, શેખ હસીના હાલમાં ભારતમાં છે અને જ્યાં સુધી તેઓ બાંગ્લાદેશ પાછા ન ફરે ત્યાં સુધી કોઈ તેમને સજા આપી શકે નહીં. અગાઉ, શેખ હસીનાને બાંગ્લાદેશમાં પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 17 નવેમ્બરના રોજ, એક ખાસ ટ્રિબ્યુનલે તેમને ગયા વર્ષે જુલાઈમાં તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલા “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. મહિનાઓ સુધી ચાલેલી ટ્રાયલ બાદ, બાંગ્લાદેશના સ્પેશિયલ ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં 78 વર્ષીય આવામી લીગના નેતા શેખ હસીનાને હિંસક કાર્યવાહીના “માસ્ટરમાઇન્ડ” તરીકે નામ આપ્યું હતું જેમાં સેંકડો વિરોધીઓ માર્યા ગયા…
વધી શકે છે શેખ હસીનાની મુશ્કેલીઓ, બાંગ્લાદેશે રેડ કોર્નર નોટિસ માટે કર્યો ઇન્ટરપોલનો સંપર્ક
બાંગ્લાદેશ સરકાર હવે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. હસીનાની મુશ્કેલીઓ વધુ વધવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલને 12 લોકો સામે રેડ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી છે અને નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ બાંગ્લાદેશ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાનું નામ પણ સામેલ છે. બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેઓ હસીના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અરજીઓ તપાસ દરમિયાન અથવા કોઈપણ ચાલુ કેસની કાર્યવાહીમાં ઉદ્ભવતા આરોપોના સંદર્ભમાં દાખલ કરવામાં આવે છે અને આ નોટિસનો ઉપયોગ ઇન્ટરપોલ દ્વારા વ્યક્તિની કામચલાઉ ધરપકડ માટે કરવામાં આવે છે જેથી ધરપકડ પછી…









