મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં AIMIMનો દબદબો, માલેગાંવમાં ઓવૈસી બન્યા કિંગમેકર
મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને બહુમતી મેળવી છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પરંપરાગત પક્ષોની રમત બગાડી નાખી છે. કોંગ્રેસ અને NCP જેવા પક્ષોને AIMIMના કારણે મોટો ફટકો પડ્યો છે. રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 2,869 બેઠકોમાંથી AIMIM 75 બેઠકો પર જીત મેળવી ચૂકી છે અથવા આગળ છે. મુંબઈની BMCમાં માત્ર ત્રણ બેઠકો જીતવા છતાં, ઔરંગાબાદ અને માલેગાંવ જેવા વિસ્તારોમાં AIMIMનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું છે. મુંબઈમાં ત્રણ બેઠકો છતાં અસરકારક હાજરી મુંબઈમાં મુસ્લિમ મતદારોનો હિસ્સો 20 ટકા કરતાં વધુ છે. AIMIM એ તમામ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીએ BMCમાં કુલ ત્રણ બેઠકો જીતી છે: – વોર્ડ 135: ઇર્શાદ ખાન – વોર્ડ 134: મહેજબીન અતિક અહેમદ –…
હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.” તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ તરફથી કડક પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઓવૈસીએ ભારતીય બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણા દેશનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે અને અહીં કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં માત્ર મુસ્લિમ પ્રધાનમંત્રી બની શકે છે, જ્યારે ભારતમાં આવી કોઈ બંધનકારક જોગવાઈ નથી. “હું ઈચ્છું છું કે એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બને,” તેમ તેમણે ઉમેર્યું હતું. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના પ્રભારી ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું…








