નીતેશ રાણે માને છે કે તેમના કારણે હિન્દુ ધર્મ સુરક્ષિત છે, ઉદ્ધવ જુથના નેતાના પ્રહાર
શિવસેના MLC અનિલ પરબે મંગળવારે મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણે પર પ્રહારો કર્યા, અને તેમના પર વિભાજનકારી અને ખતરનાક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો.મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં, પરબે નિતેશ રાણે પર “પોતાને હિન્દુ ધર્મના રક્ષક કહેવા” બદલ પણ પ્રહાર કર્યા અને કહ્યું કે તેઓ લોકોને શું ખાવું તે નક્કી કરી શકતા નથી. રાણેનું નામ લીધા વિના, શિવસેના (UBT) નેતાએ કહ્યું, “મહારાષ્ટ્રમાં એક નેપાળી મંત્રી છે જે માને છે કે તેમના કારણે હિન્દુ ધર્મ સુરક્ષિત છે. હું તેમને સ્પષ્ટ કરવા માંગુ છું કે આપણે આપણા ધર્મનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ.” તેમણે કહ્યું કે સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેએ તેમને અન્ય કોઈ ધર્મ સાથે અન્યાય કર્યા વિના હિન્દુત્વના મૂલ્યો જાળવવાનું શીખવ્યું છે.. રાણેએ મલ્હાર સર્ટિફિકેટ શરૂ કર્યું હતું:-…







