ભારતમાં લઘુમતી સમુદાયો ભેદભાવનો સામનો કરી રહ્યા હોવાના યૂએસ કમિશનના રિપોર્ટથી ખળભળાટ
26 માર્ચના રોજ યુએસ કમિશન (USCIRF)એ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર ટિપ્પણી કરતા, ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. કમિશને જણાવ્યું હતું કે ભારતમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયો, ભેદભાવ અને દુર્વ્યવહારનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, યુએસ કમિશને ભારતની ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) સામે પણ પ્રતિબંધોની ભલામણ કરી છે. કમિશને કહ્યું કે RAW પર શીખ અલગતાવાદીઓની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે, જોકે આ આરોપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. યુએસ કમિશનની આ ટિપ્પણીઓને ભારતના આંતરિક રાજકારણ અને સુરક્ષા બાબતોમાં દખલ કરવાના પ્રયાસ તરીકે અર્થઘટન કરી શકાય છે, જે ભારત સરકાર માટે વિવાદાસ્પદ બની શકે છે. અમેરિકાના આ પગલા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કારણ કે અમેરિકાનો…
ટ્રમ્પે બાઇડન વહીવટીતંત્ર પર ભારતમાં લોકસભાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો બિડેન વહીવટીતંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જો બિડેન વહીવટી તંત્ર પર નિશાન સાધ્યું અને તેના પર ભારતની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો. એલોન મસ્કના નેતૃત્વ હેઠળના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી (DOGE) એ 16 ફેબ્રુઆરીના રોજ $21 મિલિયનના ફંડિંગ બ્લોકની જાહેરાત કરી. DOGE એ X પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે ઘણા વિદેશી સહાય કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા છે કારણ કે તે બિનજરૂરી અથવા અતિશય ખર્ચાળ માનવામાં આવે છે. આવા ખર્ચાળ કાર્યક્રમોમાંથી એક હતો ભારતમાં વોટર ટર્નઆઉટ પ્રોજેક્ટ. -> ડોનાલ્ડ ટ્રમ્પે આ કહ્યું :- મિયામીમાં FII પ્રાયોરિટીઝ સમિટને સંબોધતા ટ્રમ્પે કહ્યું, “આપણે ભારતમાં મતદાન પર $21 મિલિયન ખર્ચવાની કેમ જરૂર પડી? મને લાગે છે કે તેઓ કોઈ બીજાને…
16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર થયાના આરોપનો મામલો, કેજરીવાલને ACBની નોટિસ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા, આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર તેમના 16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર કરીને તેમને મંત્રી બનાવવાની લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ કેસમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થઈ શકે છે. આ કેસમાં, દિલ્હી ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલને કાનૂની નોટિસ મોકલી, જેમાં આ આરોપો અંગે વિગતો અને પુરાવા માંગવામાં આવ્યા છે. પરંતુ કેજરીવાલે નોટિસનો જવાબ આપ્યો નથી. ACB સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ACB અરવિંદ કેજરીવાલ, મુકેશ અહલાવત અને સંજય સિંહ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસને પત્ર લખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, AAP નેતાઓ સામે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા, ગભરાટ ફેલાવવા…









