Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત
ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા અતિથિઓ અને મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરવામાં અગ્રેસર મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યની પરંપરાગત કલા-કારીગરીને પ્રજાના પ્રતિબિંબ સમાન વિધાનસભા સંકુલમાં સ્થાન આપી એક નવતર પગલું ભરવામાં આવ્યું છે અને આ પગલું સમગ્ર રાજ્યની પરંપરાગત કલા સંસ્કૃતિ તથા તેની સાથે જોડાયેલા…
અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતી આ પ્રજાતિ પર્યાવરણીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દેડકો સામાન્ય રીતે આછા ભૂરા કે પીળા રંગનો જોવા મળે છે, તેની પીઠ પર ઘાટા ફોલ્લીઓ અથવા નિશાનો હોય છે. તેની મોટી આંખો અને આડી કીકી તેને વિશિષ્ટ ઓળખ આપે છે. સૌથી ખાસ લક્ષણ તરીકે તેના અંગૂઠાના છેડા પર રહેલા એડહેસિવ ડિસ્ક છે, જેના કારણે તે દિવાલો, ઝાડના થડ અને અન્ય ઊભી સપાટીઓ પર સહેલાઈથી ચડી શકે છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર, આ પ્રજાતિમાં નર દેડકા માદા કરતા કદમાં નાના હોય છે. અન્ય સામાન્ય દેડકાઓની જેમ…
ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત
ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે. પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે…
પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સત્તાવાર પ્રવાસે મલેશિયા પહોંચ્યા છે. ઓગસ્ટ 2024 માં ભારત–મલેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો મળ્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે, જેને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કુઆલાલંપુર પહોંચતાં જ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર જાતે તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય નાગરિકો સાથે પણ મુલાકાત કરી. “કોઈ બેવડા માપદંડ નહીં, કોઈ સમાધાન નહીં”-પો મોદી મલેશિયાના પ્રધાનમંત્રી ઇબ્રાહિમ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પ્રાદેશિક…
BCCI એ વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત,વિરાટ કોહલી અને રોહિત શર્મા A+ કેટેગરીમાં યથાવત્
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2024–25 માટેની વાર્ષિક પ્લેયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 30 ભારતીય ખેલાડીઓને ચાર અલગ-અલગ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કોન્ટ્રાક્ટ યાદીથી સ્પષ્ટ થાય છે કે BCCI હવે માત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ શિસ્ત અને ઘરેલું ક્રિકેટને પણ સમાન મહત્વ આપી રહ્યું છે. A+ કેટેગરીમાં સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને યથાવત્ રાખવામાં આવ્યા છે. તેમની સાથે જ ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આ ચારેય ખેલાડીઓ ભારતીય ક્રિકેટની રીડ તરીકે ગણાય છે અને તેમનું સ્થાન બોર્ડના વિશ્વાસને દર્શાવે છે. આ યાદીમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ ફેરફાર ઈશાન કિશન અને…
પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા મુદ્દાઓ પર તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષાને જીવનનો અંત ન માનવો જોઈએ. પરીક્ષા એ જીવનનો એક પડાવ છે, દબાણ નહીં પરંતુ તક તરીકે જોવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે વાંચતી વખતે મન એકાગ્ર રાખો, સમજ સાથે અભ્યાસ કરો—માત્ર રટણ પર ભાર ન આપો.ગેમિંગ અને ઈન્ટરનેટ અંગે તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ખરાબ નથી, પરંતુ તેનો અતિઉપયોગ નુકસાનકારક બની શકે છે. સમયનું આયોજન કરો, પોતાને જાતે શિસ્તમાં રાખો અને ડિજિટલ ડિટોક્સ અપનાવો.તણાવ દૂર કરવા માટે પીએમ મોદીએ યોગ, ધ્યાન, નિયમિત ઊંઘ અને સકારાત્મક…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી
ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત નેતાના અવસાનના સમાચારથી સમગ્ર રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, ત્યારે રાજ્યપાલએ આ દુઃખદ ઘટનાને રાજ્ય અને દેશ માટે અપાર નુકસાન ગણાવી છે. તા. 28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવન ખાતે આયોજિત શોકસભામાં માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભા દરમિયાન લોકભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય ઉપસ્થિતોએ પણ મૌન પાળી દિવંગત આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમગ્ર લોકભવન શોકમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના શોકસંદેશમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા…
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજનાથી બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન
એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો: બંને તેજસ્વી યુવાનોને રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર. જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા…
















