‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

વડાપ્રધાનશ્રીની સોમનાથ મુલાકાતને પગલે મંદિર પરિસર, સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી:  સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ‘ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી…

સોમનાથ સ્વાભિમાન પર્વ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરી

જૂનાગઢ, તા. ૧૦ — ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા પ્રશાસન તથા ભાજપના આગેવાનો દ્વારા ઉમળકાભેર અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવો સોમનાથ ખાતે આયોજિત ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા પધાર્યા હતા. કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભેર આવકાર કર્યો હતો. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા તથા અન્ય સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી. સોમનાથ ખાતે યોજાનાર…

પ્રથમવાર રવિવારે રજૂ થશે દેશનું બજેટ, રાજકીય અને આર્થિક વર્ગોમાં ઉત્સુકતા

દેશના આર્થિક ભવિષ્ય માટે અત્યંત મહત્વનું માનવામાં આવતું વાર્ષિક કેન્દ્રિય બજેટ આ વખતે એક અનોખા દિવસે રજૂ થવાનું છે. મળતી માહિતી મુજબ, 1 ફેબ્રુઆરીના રોજ રવિવારે કેન્દ્ર સરકાર દેશનું બજેટ રજૂ કરશે, જે પ્રથમવાર રવિવારે બજેટ રજૂ થવાનું બનાવ બનશે. આ કારણે રાજકીય અને આર્થિક વર્ગોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે, જે લાંબા ગાળાનો રહેશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર વિવિધ આર્થિક નીતિઓ, વિકાસલક્ષી યોજનાઓ તેમજ નાણાકીય સુધારાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેટ રજૂઆતને લઈને વેપારી વર્ગ, ઉદ્યોગજગત અને સામાન્ય નાગરિકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને કર માળખામાં રાહત, મોંઘવારી પર કાબૂ, રોજગાર સર્જન…

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો કહેર, અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થિજવતી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. માત્ર કચ્છના નલિયા જ નહીં, પરંતુ કંડલા, અમરેલી અને રાજકોટ સહિતના વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું નોંધાયું છે. પરિણામે વહેલી સવાર અને મોડી રાત્રે લોકોમાં ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું 4.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન…

International Kite Festival 2026: ગુજરાતમાં ફરીથી રંગબેરંગી પતંગોથી ગગન છવાશે, દેશ-વિદેશના પતંગબાજ લેશે ભાગ, જાણો તારીખ અને સંપૂર્ણ શેડ્યૂલ

અમદાવાદ: ગુજરાતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival) 2026માં પણ ભવ્ય રીતે ઉજવાવા જઈ રહ્યો છે. આ મહોત્સવ ઉત્તરાયણની સદીય જૂની પરંપરાથી જોડાયેલો છે અને તેમાં દેશ-વિદેશથી પતંગબાજો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. મહોત્સવ દરમિયાન આકાશ રંગબેરંગી અને અનોખી પતંગોથી ભરાઈ જાય છે. ક્યારે અને ક્યાં યોજાશે પતંગ મહોત્સવ? આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવશે. આ મહોત્સવનું મુખ્ય આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થશે. સાથે જ રાજ્યના અન્ય શહેરો જેમ કે સુરત, રાજકોટ, વડોદરા અને દ્વારકામાં પણ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવનું આયોજન ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવે છે. દેશ-વિદેશના પતંગબાજો કરશે આકાશ સજાવટ મહોત્સવમાં જાપાન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા…

દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ: રામદેવથી સદગુરુ સુધી, કરોડોમાં છે સંપત્તિ

આધ્યાત્મિક ગુરુઓની કરોડોની દુનિયા! બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, શ્રી શ્રી રવિશંકર, સદગુરુ જગ્ગી વાસુદેવ અને આસારામ બાપુ— જાણો કોણ પાસે કેટલી સંપત્તિ અને કેવી રીતે થાય છે આવક. દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ અને તેમની સંપત્તિ : ભારત અને દુનિયાભરમાં અનેક આધ્યાત્મિક ગુરુઓ અને બાબાઓ કરોડો ભક્તોને પ્રેરણા આપે છે. તેમની સંસ્થાઓ, આશ્રમો, ટ્રસ્ટ અને સેવાકાર્યો દ્વારા વિશાળ સંપત્તિનું સંચાલન થાય છે. આજે અમે તમને દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમની સંપત્તિ કરોડોમાં ગણાય છે. ______________ 1️⃣ બાબા રામદેવ યોગ અને આયુર્વેદને ઘર-ઘર સુધી પહોંચાડનાર બાબા રામદેવ પતંજલિ આયુર્વેદના સ્થાપક છે. પતંજલિ ગ્રુપના વ્યવસાય, ટ્રસ્ટ અને સંસ્થાઓ મારફતે તેમની કુલ સંપત્તિ 1600 કરોડ રૂપિયાથી વધુ ગણવામાં આવે છે. ______________ 2️⃣ આચાર્ય…

કોલકાતામાં જ્યાં EDની રેડ થઈ ત્યાં મમતા બેનર્જી પહોંચ્યા, નારાજગી વ્યક્ત કરતાં કહ્યું – TMCના દસ્તાવેજો ઉઠાવી ગયા

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ED દ્વારા તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહત્વના દસ્તાવેજો અને ડેટા શીટ્સ કબ્જામાં લેવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવાના ઇરાદાથી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જો હું પણ ભાજપના પાર્ટી ઓફિસમાં રેડ પાડું તો શું થશે?” મુખ્યમંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં SIR પ્રક્રિયા મારફતે મતદારોના નામ યાદીમાંથી ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ લોકશાહીને નુકસાન પહોંચાડવાની કોશિશ છે. ઉલ્લેખનીય છે કે ફર્જી સરકારી નોકરી કૌભાંડ મામલે EDની ટીમે કોલકાતાના 15 સ્થળોએ…

ગાંધીનગરમાં મેટ્રોનો નવો ફેઝ શરૂ : 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાનો લોકાર્પણ

ગાંધીનગરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા મેટ્રો સેવાનો એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનું લોકાર્પણ કરશે. આ સાથે સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધીનો 5.36 કિમીનો નવો મેટ્રો ફેઝ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલ સુધી ગાંધીનગરમાં મેટ્રો સેવા માત્ર સચિવાલય સુધી સીમિત હતી, પરંતુ આ નવા વિસ્તરણથી હવે મુસાફરોને મહાત્મા મંદિર સુધી સીધી અને સુલભ કનેક્ટિવિટી મળશે. નવા રૂટમાં સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય તેમજ સેક્ટર-16થી 24 સુધીના મહત્વપૂર્ણ સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેના કારણે સરકારી કર્મચારીઓ, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને મોટો લાભ મળશે. ખાસ વાત એ છે કે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે જોડતો કોરિડોર પણ…

ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ : પ્રતિબંધિત પતંગ દોરીઓના વેચાણ સામે સખ્ત કાર્યવાહી

આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધિત પતંગ દોરીઓ સામે કડક અમલવારી કરવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને સખ્ત આદેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ચીની દોરી, કાચ કોટેડ દોરા તેમજ ચીની ટુક્કલ જેવી જોખમી વસ્તુઓનું માત્ર વેચાણ જ નહીં પરંતુ ઉત્પાદન અને સંગ્રહ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવી ફરજિયાત છે. હાઈકોર્ટે કમિશ્નરેટ અને કલેક્ટર વિસ્તારોમાં પોલીસને સખ્ત સૂચનાઓ આપીને જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન માનવજીવન, પક્ષીઓ અને પ્રાણીઓની સુરક્ષા સર્વોપરી છે. આવી દોરીઓના ઉપયોગથી ગળા કપાવાના અકસ્માતો, ગંભીર ઇજાઓ અને પક્ષીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી છે, જેને રોકવા માટે કાયદાનો કડક અમલ જરૂરી છે. સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યભરમાં કુલ 59…

33 વર્ષ બાદ ગુજરાતને ફરી ‘ટાઈગર સ્ટેટ’(‘Tiger State’)નો દરજ્જો વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક સિદ્ધિ

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA) દ્વારા ગુજરાતને ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ (‘Tiger State’)જાહેર કરવામાં આવ્યું છે. આશરે 33 વર્ષ બાદ ગુજરાતને આ ગૌરવ મળ્યું છે, જેને રાજ્યના વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે, જેના કારણે રાજ્યમાં વાઘની હાજરી સત્તાવાર રીતે માન્ય બની છે. આ વાઘ મુખ્યત્વે રતનમહાલ વન્યજીવન અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં નજરે પડી રહ્યો છે. વન વિભાગ દ્વારા વાઘની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે તેમજ તેની સુરક્ષા અને આરોગ્ય માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે વાઘ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક વાઘણની માગ પણ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો કુટુંબ વસાવી શકાય. સરકારનું…