ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે.

પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે થઈ હતી, જેણે પોતાના જીવનમાં ક્યારેય પેન્સિલ પણ જોઈ નહોતી.”

પ્રાઇઝ મની વિશે વાત કરતાં રૂબલ નાગીએ જણાવ્યું કે, તેઓ આ રકમથી એક નવા સંસ્થાનની શરૂઆત કરશે, જ્યાં એવા બાળકોને શિક્ષણ આપવામાં આવશે જેમણે આજ સુધી સ્કૂલનો ચહેરો પણ જોયો નથી.પુરસ્કાર જીત્યા બાદ રૂબલ નાગીને કાશ્મીરના તંગધાર જિલ્લાના કરનાહ ગામ (LOC નજીક) થી એક ભાવુક કરી દેનારો વીડિયો મળ્યો હતો. આ વીડિયોમાં તેમના કમ્પ્યુટર સેન્ટરમાં અભ્યાસ કરતો એક બાળક તેમને અભિનંદન પાઠવતો જોવા મળે છે, જેને જોઈ રૂબલ નાગી ખૂબ જ ભાવુક બની ગયા હતા.

ઉલ્લેખનીય છે કે દુબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં દર વર્ષે દુનિયાભરના લીડર્સ અને એક્સપર્ટ્સ હાજરી આપે છે, જ્યાં રૂબલ નાગીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.રૂબલ નાગીએ લગભગ 24 વર્ષ પહેલા માત્ર 30 બાળકો સાથે એક નાની વર્કશોપથી પોતાની પહેલ શરૂ કરી હતી. આજે તેઓ દેશભરમાં 800થી વધુ ટ્રેનિંગ સેન્ટર્સ ચલાવી રહી છે, જ્યાં લાખો બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.

રૂબલ નાગી ‘રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન’ નામની સંસ્થા ચલાવે છે, જે દેશના ગરીબ અને વંચિત બાળકોને શિક્ષણની મુખ્યધારા સાથે જોડવાનું કાર્ય કરી રહી છે.

ગ્લોબલ ટીચર પ્રાઇઝ શું છે?

આ એક આંતરરાષ્ટ્રીય સન્માન છે, જે દર વર્ષે Varkey Foundation દ્વારા UNESCO અને GEMS Education ના સહયોગથી તે શિક્ષકને આપવામાં આવે છે, જેમણે શિક્ષણ ક્ષેત્રે અસાધારણ યોગદાન આપ્યું હોય.

રૂબલ નાગી માટે આ કેમ ખાસ છે?

રૂબલ નાગીને $1 મિલિયન (લગભગ ₹9 કરો)ની ઇનામ રકમ સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેઓ એક ભારતીય શિક્ષિકા, સામાજિક કાર્યકર્તા અને કલાકાર છે. તેમની RoubleNagi ArtFoundation દ્વારા તેઓ ભારતના વંચિત બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાનું અને શીખવાના માહોલને વધુ સારો બનાવવાનું કાર્ય કરી રહ્યા છે.

તેમનું કામ ખાસ કરીને ઝૂંપડપટ્ટીઓ અને ગ્રામિણ વિસ્તારોમાં બાળકોને શિક્ષણની તક પૂરી પાડવા, તેમજ દીવાલો પર ચિત્રો અને કલાના માધ્યમથી શીખવાનું સરળ અને રસપ્રદ બનાવવા જેવા નવીન વિચાર આધારિત છે.

139 દેશોમાંથી આવેલા હજારો નામાંકનો વચ્ચે રૂબલ નાગીએ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે, જેના કારણે તેમણે માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ પણ વિશ્વભરમાં ઉજાગર કર્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…

ચીનના હુમલાના ભય વચ્ચે તાઇવાનમાં એલર્ટ, રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ કારમાં બંકરમાં પહોંચ્યા

વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ચીન દ્વારા સંભવિત સૈન્ય કાર્યવાહીનો ખતરો જોતા તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. અચાનક સાયરન વાગતા જ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ વાહનમાં બેસીને સુરક્ષિત બંકરમાં પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા તાઇવાનની ઇમરજન્સી તૈયારી અને યુદ્ધકાળીન પ્રોટોકોલનો એક ભાગ હતી. તાઇવાન છેલ્લા ઘણા સમયથી ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાની અલગ રાજકીય વ્યવસ્થા અને લોકશાહી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધુ તણાવ જોવા મળ્યો છે. ચીનની સૈન્ય ગતિવિધિઓથી વધતી ચિંતા તાઇવાનની…