“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” – “મારી ખેતી મારૂ ગર્વ” ની સાર્થકતા કટ્ટીબંધીત છે કૃષિ ક્ષેત્રની નવીનતા અને સિદ્ધિઓને સાકાર કરનારા ખેડૂતોને વિલક્ષણ મંચ આપવા… ચાલો ઉજવીએ ગુજરાતની કૃષિ સન્નમુખ નેતાગીરી અને B India News સાથે ખેડૂતની સફળતા.. https://youtu.be/_bLa9mcZSGM?si=HpxwCsX0AFmmOt47

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને કોમર્શિયલ વપરાશ માટે PNG (Piped Natural Gas) અને LPG નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્ય હાઈલાઈટ્સ: બફર સ્ટોકમાં વધારો: ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે. PNG ને પ્રાથમિકતા: જે ગ્રાહકો LPG અને PNG બંને કનેક્શન ધરાવે છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. કેરોસીન વિતરણ: ગ્રામ્ય વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે દરેક જિલ્લાને 36,000 લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. સરકારનું વિઝન: “અંત્યોદયથી સર્વોદય” અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે,…

સોલધરા ગામની “લખપતિ દીદી” અસ્મિતાબેન પટેલ: ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ

Gandhinagar, 7 માર્ચ 2026: “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાકાર કરતી પ્રેરણાદાયક કહાની છે Soldhara ગામની અસ્મિતાબેન અશોકભાઈ પટેલની. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી અસ્મિતાબેને પોતાની મહેનત, સંઘર્ષ અને આત્મવિશ્વાસથી માત્ર પોતાને જ નહીં, પરંતુ ગામની અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો માર્ગ બતાવ્યો છે. આજે તેઓ “લખપતિ દીદી” તરીકે ઓળખાય છે અને ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. Chikhli તાલુકાના સોલધરા ગામમાં જન્મેલી અસ્મિતાબેન બાળપણથી ખેતી અને પશુપાલનના માહોલમાં ઉછર્યાં. જીવનમાં પડકારો પણ ઓછા નહોતા. અભ્યાસ દરમિયાન પિતાના અવસાનનો આઘાત સહન કર્યો, પરંતુ પરિવારના સહકાર અને પોતાના દ્રઢ મનોબળના કારણે તેમણે શિક્ષણ અને પ્રગતિનો માર્ગ છોડ્યો નહીં. લગ્ન પછી પણ તેમણે અભ્યાસ ચાલુ રાખી B.A.ની ડિગ્રી મેળવી અને જીવનમાં કંઈક નવું કરવાનું સપનું સાકાર કરવા…

ગુજરાતમાં લાંબા ગાળાની ગરમીની આગાહી, આગામી દિવસોમાં હિટવેવનો ખતરો

ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાપમાનમાં સતત વધારો થવાને કારણે દિવસ દરમિયાન ઉકળાટ વધશે અને લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોને સાવચેત રહેવાની જરૂરિયાત રહેશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે હિટવેવ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. Bhavnagar જિલ્લામાં આગામી બે દિવસ હિટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે Porbandar અને Diu માં પણ તાપમાનમાં વધારો સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની અને દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કર્યો, 150 નવી દવાઓનો સમાવેશ

પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદી (Essential Drug List – EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. સાથે જ બિનજરૂરી ગણાયેલી 57 દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેના પરિણામે હવે રાજ્યના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં કુલ 1,479 જેટલી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાઓમાં સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સંબંધિત અનેક મહત્વપૂર્ણ દવાઓનો પણ સમાવેશ થાય છે, જેથી દર્દીઓને જરૂરી સારવાર સરળતાથી મળી શકે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી…

નરેન્દ્ર મોદીના ‘Women-Led Development’ વિઝનને આગળ વધારતું ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસની ત્રિવેણી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ – નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, ‘herSTART‘ની ૫મી આવૃત્તિનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિમન-લેડ ડેવલપમેન્ટ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:  વડાપ્રધાનના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે  સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો  ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ…

ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર; બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન વધીને ૮.૩ ટકા થયું: નાણામંત્રી કનુ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતની મજબૂત આર્થિક સ્થિતિ, સુદ્રઢ નાણાકીય શિસ્ત અને સર્વસમાવેશક વિકાસનું વિસ્તૃત ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન ૫.૧ ટકાથી વધીને ૮.૩ ટકા થયું છે, જે રાજ્યની ગતિશીલ અર્થવ્યવસ્થાનો સાક્ષી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે સુશાસન અને જનભાગીદારીના બળ પર વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. ૧૧.૪ ટકા સરેરાશ વિકાસ દર: રાજ્યનો સરેરાશ વિકાસ દર છેલ્લા ૧૦ વર્ષમાં ૧૧.૪ ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૧૦.૨ ટકા કરતા વધુ છે. પરિણામે ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધુ નોંધાઈ…

રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન, 806થી વધુ મકાનો ધરાશાયી

રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન ઓપરેશનને શહેરના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. જંગલેશ્વર વિસ્તાર અને આજી નદીના પટમાં આવેલ રહેણાંક અને અન્ય બાંધકામો સામે સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને તંત્રની ટીમો દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. સત્તાવાર માહિતી મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 806 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ ચાલી રહી હતી. સમગ્ર વિસ્તારમાં 1000થી વધુ પોલીસ જવાનો, SRPની ટીમો તેમજ મહિલા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે. ડિમોલિશન પહેલા તંત્ર દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું અધિકારીઓનું કહેવું…

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા. ઝિમ્બાબ્વેના એમ્બેસેડરઅને ડેપ્યુટી મિનિસ્ટરએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે…