સલમાન ખાને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્વિટ કર્યું, લોકોએ તેને ટ્રોલ કર્યો, તો પછી ભાઈજાને તેને કેમ કર્યું ડિલીટ..

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ પર સલમાન ખાનની ટિપ્પણી: જ્યારે સલમાન ખાને ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્વિટ કર્યું ત્યારે લોકોએ તેમને ટ્રોલ કર્યા. આ કારણે તેણે ટ્વીટ ડિલીટ કરી દીધું. સલમાને હજુ સુધી પહેલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના નાપાક કૃત્ય પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. સલમાન ખાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર પર રાહત વ્યક્ત કરતા ટ્વીટ કર્યું. પરંતુ તેમણે આ ટ્વીટ પાછળથી ડિલીટ કરી દીધું. સલમાને પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “ભગવાનનો આભાર કે યુદ્ધવિરામ થઈ ગયો…” પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે 22 એપ્રિલે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો. બંને બાજુથી સતત ગોળીબાર અને મિસાઇલ હુમલાઓને રોકવા માટે, બંને…

‘ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે’, ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન; જાણો શું કહ્યું..

7 મેની રાત્રે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર વિનાશ કર્યો અને પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોતનો બદલો લીધો. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન સિંદૂર વિશે વધુ માહિતી પોસ્ટ કરી છે.   ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ:-હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે અને બંને બાજુ બધું શાંતિપૂર્ણ છે. દરમિયાન, ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે અને ઓપરેશન સિંદૂર વિશે વધુ માહિતી આપી છે.   વાયુસેના તૈનાત:- પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ ભારતીય વાયુસેના (IAF) એ મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. IAF એ કહ્યું કે…

ગાંધીનગર: ACB PI તરીકે ઓળખ આપી તોડ કરતો ઈસમ પકડાયો

નકલી ઓળખ આપીને પેસા તોડ કરવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ ACB PI તરીકે આપી GPSC ચેરમેન અને કલેક્ટર સાથે “સેટિંગ” હોવાનો દાવો કરી 25 હજાર રૂપિયા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપી, અમદાવાદના રખિયાલ વિસ્તારનો રહેવા વાળો સોયબહુસેન ગુલામહુસેન શેખ, નિવૃત્ત ASIનો પુત્ર છે. તેણે साबરકાંઠાના તલોદના પત્રકાર રાકેશકુમાર શાહની દીકરી સ્વાતિને GPSC પરીક્ષામાં પાસ થવા માટે “મદદ”ની લાલચ આપી મેસેજ મોકલ્યો હતો. તેણે પોતાનું નામ PSI તરીકે આપ્યું અને બાદમાં રાકેશકુમાર સાથે સંપર્ક કરી કલેક્ટર કચેરીમાં સેટિંગ હોવાનો ભરોસો આપ્યો. જ્યારે તેણે 25 હજાર રૂપિયાનું એડવાન્સ માંગ્યું ત્યારે પત્રકારને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી. આરોપીને ગાંધીનગરના ઘ-0 સર્કલ બ્રિજ પાસે બોલાવી પાડોશમાં પોલીસે વોચ ગોઠવી ઝડપ્યો. સેક્ટર-7 PI…

અમદાવાદ: ચંડોળા તળાવ મામલે તંત્રના આ નિર્ણયથી જાણો ક્યા લાગી લાંબી લાઇનો..

અમદાવાદ શહેરના ચંડોળા તળાવ કિનારે રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવાસ યોજના હેઠળ મકાનો આપવાના નિર્ણય સાથે, લોકોએ હવે તેમના દસ્તાવેજો એકઠા કરવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે મહાનગરપાલિકાના નાગરિક કેન્દ્રોમાં પણ આવા અરજદારોની લાઇનો જોવા મળી હતી. આ વૈકલ્પિક વ્યવસ્થાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો હતો. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટિસિપેશનની શરતો હેઠળ મકાનો આપવામાં આવશે. આ નિર્ણય ફક્ત એવા લોકોને લાગુ પડે છે જેમની પાસે 1 ડિસેમ્બર 2010 પહેલા અહીં રહેવા માટે દસ્તાવેજો અથવા મહત્વપૂર્ણ પુરાવા છે. આ માટે મહાનગરપાલિકાએ પોલીસ વેરિફિકેશન કરાવવાની પણ વાત કરી છે. ઉલ્લેખનીય છે કે 11 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ચંડોળા તળાવ વિસ્તારમાં, લોકો ગેરકાયદેસર રીતે ઘરો બનાવીને…

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર કલેકટરે બ્લેકઆઉટને લઈ લીધો મોટો નિર્ણય, જાણો વિગત

ભારત – પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર જિલ્લા અને શહેરમાં સાયરન વાગ્યા હતા. ત્યાર બાદ હવે જામનગરના કલેકટર કેતન ઠક્કરે રાત્રે 8 થી સવારના 6 સુધી બ્લેકઆઉટ જાહેર કર્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા આજે તા.10/525 ના રોજ રાત્રીના 8 કલાક થી આવતીકાલ તા.11/5/25 સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને કરી આ અપીલ બ્લેકઆઉટ દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.…

11 વર્ષની ઉંમરે પિતા કારગિલમાં હતા… હવે અનુષ્કાની દેશ માટે ભાવનાત્મક પોસ્ટ, જાણો શું કહ્યું!

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે અનુષ્કા શર્માની ભાવનાત્મક પોસ્ટ વાયરલ થઈ છે. બાળપણમાં, જ્યારે તેના પિતા કારગિલ યુદ્ધમાં હતા, ત્યારે તે ફક્ત શાળા અને બોયફ્રેન્ડ વિશે જ વાત કરતી.. કારણ કે તેને ખબર નહોતી કે તેના પિતા યુદ્ધમાં છે. હવે તે કહે છે – ‘હું એક સૈનિકની દીકરી છું, અને મને તેનો સૌથી વધુ ગર્વ છે.’   અનુષ્કા શર્મા ભલે તેના અભિનય અને વ્યક્તિત્વ માટે જાણીતી હોય, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સશસ્ત્ર દળો પ્રત્યેનો દેશભક્તિ અને આદર તેના મનમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. તેમની આ લાગણી ફક્ત ફિલ્મો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમના જીવનની વાસ્તવિકતા સાથે સંબંધિત છે. અનુષ્કા શર્માના પિતા, કર્નલ (નિવૃત્ત) અજય કુમાર શર્માએ 1982 થી ઓપરેશન બ્લુ સ્ટાર…

‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ થયા ગુસ્સે, જાણો શું કહ્યું નિર્માતાએ..

‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ ગુસ્સે થયા, નિર્માતાએ માફી માંગી, કહ્યું – આ ફક્ત એક ફિલ્મ નથી… ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરતી વખતે ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું.   પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને લઈને સામાન્ય લોકો તેમજ ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન, ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી. જોકે, આ નિર્ણય માટે તેમને સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડ્યો. હવે પોસ્ટ કરીને તેમણે માફી માંગી છે અને કહ્યું છે કે તેમનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા, નિર્માતા નિક્કી ભગનાની અને દિગ્દર્શક ઉત્તમ મહેશ્વરીએ કહ્યું કે દેશના…

રાશિફળ/10 મે 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે તે તમારી માટે કશુંક સારૂં કરશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમારા…

પંચાંગ :10 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ત્રયોદશી (તેરસ) 05:32 PM નક્ષત્ર ચિત્રા +03:15 AM કરણ તૈતુલ 05:32 PM પક્ષ શુક્લ યોગ સિદ્ધિ +03:59 AM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:33 AM ચંદ્રોદય 05:06 PM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 07:01 PM ચંદ્રાસ્ત +04:23 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ 01:27 PM વિક્રમ સંવત…

India v/s Pakistan: તણાવ વચ્ચે મોટાભાગની હવાઈ સેવાઓ સામાન્ય, 15 મે સુધી 32 એરપોર્ટ બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે દેશના 32 એરપોર્ટ પર હવાઈ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા NOTAM (Notice to Airmen) જારી કરી 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી આ પ્રતિબંધ લાગુ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અનેક એરપોર્ટ પર કામગીરી બંધ કરવામાં આવી છે, ત્યારે અન્ય મહત્વના એરપોર્ટ, જેમ કે દિલ્હી અને મુંબઈ, પર હાલ પ્રક્રિયાઓ સામાન્ય છે. જોકે, કડક સુરક્ષા વ્યવસ્થાઓને કારણે કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર આવવાની સંભાવના છે. કયા એરપોર્ટ બંધ છે? આ પ્રતિબંધ હેઠળ ઉત્તર અને પશ્ચિમ ભારતના કુલ 32 એરપોર્ટ આવે છે, જેમાં ખાસ કરીને સરહદી અને સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ એરપોર્ટમાં…