રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી
માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન. રાવ, એર વાઇસ માર્શલ પ્રશાંત આર્ય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિને ભાવસભર વિદાય આપી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
CBSE 10th Result 2026: વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા, પરિણામ તારીખ પર સસ્પેન્સ
સીબીએસઈ (CBSE) 10મું બોર્ડ પરિણામ 2026 અંગે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા છે. સોશિયલ મીડિયા અને વિવિધ રિપોર્ટ્સમાં 14 એપ્રિલે પરિણામ જાહેર થવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હકીકત શું છે? બોર્ડ તરફથી હજી સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ DigiLocker અને સત્તાવાર પ્લેટફોર્મ્સ અંગે તૈયારીઓ તેજ બની ગઈ છે. પરિણામ કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. હાલ સુધી CBSE દ્વારા કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર: પરિણામ એપ્રિલના બીજા અઠવાડિયામાં (14–15 એપ્રિલ આસપાસ) આવવાની શક્યતા છે કેટલાક રિપોર્ટ્સમાં આજે (14 એપ્રિલ) પરિણામ આવી શકે તેવી અટકળો છે, પરંતુ તેની પુષ્ટિ નથી DigiLocker પર “Result Coming Soon” નોટિફિકેશન મળતા પરિણામ નજીક હોવાનું માનવામાં આવે છે એટલે કે, 14 એપ્રિલે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી. આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ ખાતે જનમેદની સાથે બંધારણના ઘડવૈયા ની જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થયા હતા. આ સમયે સમગ્ર વાતાવરણ ‘જય ભીમ’ ના નારાઓથી…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડૉ. આંબેડકરના પોટ્રેટને પુષ્પ અર્પણ કર્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું લોકભવન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ
ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધાર્યા હતા. અહી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકાર્યા હતા. મહત્વનું છે કે મંગળવારના રોજ રાષ્ટ્રપતિ લોકભવન ખાતે આયોજિત સામાજિક સમરસતા મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ બપોર બાદ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલે રૂપ કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહીનાં આદેશ
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના અન્ય પોલીસ ઉચ્ચ અધિકારી ઓ સાથે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી કડક સુચના આપી હતી.
દેશની શક્તિ – નારી શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ આપ્યો પ્રેરણાદાયક સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવનમાં ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ દેશના વિકાસમાં મહિલાઓની વધતી ભૂમિકા અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ સંમેલન મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે વધુ પ્રતિનિધિત્વ આપવા માટે રચાયેલા મહિલા અનામત અધિનિયમના અમલીકરણ તરફ આગળ વધતી એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાને મહિલાઓની શક્તિ, પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે ભારતનું ભવિષ્ય ‘નારી શક્તિ’ના સશક્તિકરણ સાથે સીધું જોડાયેલું છે. શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ઉદ્યોગસાહસિકતા, મીડિયા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિષ્ઠિત મહિલા હસ્તીઓ આ મંચ પર એકત્રિત થઈ હતી, જે દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓનું જીવંત પ્રતિબિંબ છે. વિશેષ રૂપે, સપ્ટેમ્બર 2023 માં…
મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ભારતનો ગેસ પ્લાન: હવે ID પર મળશે 5 કિલો સિલિન્ડર
મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવના પડઘા હવે ભારત સુધી સંભળાવા લાગ્યા છે. ઇંધણ પુરવઠા પર તેની સીધી અસર થવાની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક મેગા પ્લાન જાહેર કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોને ગેસની અછતથી બચાવવાનો અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાનો છે. સરકારના આ નવા નિર્ણય મુજબ હવે પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. તેઓને હવે ગેસ સિલિન્ડર મેળવવા માટે એડ્રેસ પ્રૂફ આપવાની જરૂર રહેશે નહીં. માત્ર માન્ય ઓળખપત્ર (ID)ના આધારે તેઓ 5 કિલોનો LPG સિલિન્ડર સરળતાથી મેળવી શકશે. આ નિર્ણય ખાસ કરીને શહેરોમાં રહેતા અને વારંવાર સ્થળ બદલતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ (SVAP)નું આયોજન
આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર માર્ગદર્શન હેઠળ ‘SVAP’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં વિવિધ પ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રારંભ 13 એપ્રિલના રોજ પ્રાર્થના સભામાં મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવશે. 15 થી 18 એપ્રિલ દરમિયાન શાળાઓમાં નિબંધ, વકતૃત્વ, સ્લોગન લેખન, ચિત્રકલા અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા મતદાનનું મહત્વ સમજાવશે. ટેકનિકલ જાગૃતિ માટે 16 એપ્રિલના રોજ ELC ક્લબ દ્વારા EVM મશીન વિશે સમજ આપવામાં આવશે. મતદાર જાગૃતિના આ પર્વને વધુ…
ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ
સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે. આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના…
















