અમદાવાદમાં ફિક્કીના 100 વર્ષનો ભવ્ય પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે. મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગમાં પ્રેરક સંબોધન કર્યુ હતું. તેમણે દેશના સૌથી જુના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ તરીકે ફિક્કીની 100 વર્ષની સફળ યાત્રાને નોંધપાત્ર સિમાચિહ્ન ગણાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે તેમાં પણ ફિક્કીનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની…

ચિપચિપાટી ગરમીમાં પણ ચહેરો રાખો તાજું અને ગ્લોઇંગ – 4 અસરકારક ઘરેલુ ફેસ પેક

ચિપચિપાહટભરી ગરમીમાં ચહેરો નિરસ, ઓઇલી અને થાકેલો લાગવો સામાન્ય છે. પણ હવે ચિંતા નહીં! ઘરે જ મળતી સરળ વસ્તુઓથી તમે બનાવી શકો છો એવા ફેસ પેક, જે તમારી સ્કિનને રાખશે ફ્રેશ, બ્રાઇટ અને ગ્લોઇંગ. સૌથી સારી વાત એ છે કે આ બધું સસ્તું અને કેમિકલ ફ્રી છે. ચાલો જાણીએ એવા 4 અસરકારક ફેસ પેક વિશે: 1. દહીં અને બેસન ફેસ પેક ગરમીમાં ટાન અને ઓઇલી સ્કિન માટે આ બેસ્ટ છે. બનાવવાની રીત: ચમચી બેસન ચમચી દહીં થોડું હળદર આ બધું મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. સ્કિન સાફ થાય છે અને ગ્લો આવે છે. 2. ટામેટા અને મધ ફેસ પેક ટામેટું નેચરલ બ્લીચ તરીકે કામ કરે છે. બનાવવાની રીત: ટામેટાનો રસ…

વડાપ્રધાન PM મોદીનો ઝાલમુરી પ્રેમ, જાણો કેમ છે આ સ્ટ્રીટ ફૂડ ખાસ

પશ્ચિમ બંગાળના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી રેલી દરમિયાન સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો. તેમણે આ અનુભવ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો અને સ્થાનિક વિક્રેતા સાથે પણ વાતચીત કરી. શું તમે જાણો છો કે પશ્ચિમ બંગાળનું આ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી શા માટે આટલું પ્રખ્યાત છે અને તે કેવી રીતે બને છે ? વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, ‘X’ પર આ ક્ષણના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું છે કે રવિવારના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મારી ચાર જાહેર સભાઓ દરમિયાન મેં ઝારગ્રામમાં સ્વાદિષ્ટ મસાલેદાર ઝાલમુરીનો સ્વાદ માણ્યો. ઝાલમુરી કેમ આટલી પ્રખ્યાત ? ઝાલમુરી ફક્ત કોલકાતામાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલા, મમરા,…

સાધ્વીથી ગ્લેમરસ લાઇફમાં વાપસી! મમતા કુલકર્ણી,દારુની પાર્ટી કરી સેલીબ્રેટ કર્યો બર્થ ડે,વીડિયો થયો વાયરલ

20 એપ્રિલે મમતા કુલકર્ણી તેનો 54 મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે મમતા કુલકર્ણીએ તો તેનો જન્મદિવસ શનિવાર રાત્રે જ ઉજવી લીધો હતો. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે .જેમાં તે સેટર ડે નાઈટ અને જન્મદિવસની ઉજવણી માણતી જોવા મળે છે. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર એટલા માટે છે કે અભિનેત્રીમાંથી સાધ્વી બનેલી મમતા કુલકર્ણી દારુ પીને જન્મદિવસ ઉજવી રહી છે. સાધ્વીથી  મમતા કુલકર્ણી, આ વાત લોકોને ખૂબ ખટકી છે. મમતા કુલકર્ણીએ તેના ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે કેટલાક લોકો સાથે જન્મદિવસ ઉજવતી જોવા મળે છે. મમતા કુલકર્ણીએ મોર્ડન ડ્રેસ પહેર્યો છે, તેની સાથે રહેલા લોકો પણ પાર્ટીના મૂડમાં જોવા મળે છે અને તેમના ટેબલ પર વાઈન અને અલગ…

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિનો બોલિવુડમાં ભવ્ય ડેબ્યૂ, ‘કૃષ્ણાવતારમ’થી શરૂ થશે સફર

મનોરંજન જગતમાં હાલ એક ખાસ ચર્ચા જોર પકડી રહી છે, રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અનોખું મિલન. આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની ઓળખ બનાવા માટે તૈયાર છે. તેની ડેબ્યુ ફિલ્મ કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સંસ્કૃતિ જયના આ ફિલ્મમાં ‘સત્યભામા’ ના મહત્વપૂર્ણ અને શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. તેના રાજકીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, તેણે પોતાની મહેનત અને પ્રતિભાના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મોટો મોકો મેળવ્યો છે. ટ્રેલરમાં તેની શાહી અંદાજ, અભિનય અને વ્યક્તિત્વે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ ફિલ્મનું નિર્દેશન હાર્દિક ગજ્જરએ કર્યું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા ભગવાનકૃષ્ણના  પાત્રમાં છે, જ્યારે સુષ્મિતા ભટ્ટ રાધાના પવિત્ર પાત્રમાં નજરે પડશે. પૌરાણિક અને ભક્તિભાવથી ભરપૂર આ ફિલ્મ…

અક્ષય તૃતીયા 2026: સોનું ખરીદવાની પરંપરા પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

અક્ષય તૃતીયા (Akshaya Tritiya) હિંદુ અને જૈન ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવતો તહેવાર છે. આ દિવસ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. “અક્ષય” શબ્દનો અર્થ છે – જે ક્યારેય ક્ષય પામતું નથી, એટલે કે આ દિવસે કરવામાં આવેલ સારા કાર્ય, દાન અને પૂજા અક્ષય ફળ આપે છે એવું માનવામાં આવે છે. આ પાવન દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. માન્યતા મુજબ આ દિવસે સોનુ ખરીદવું ખૂબ શુભ ગણાય છે, કારણ કે તે સમૃદ્ધિ અને સુખ-શાંતિનું પ્રતિક છે. તેથી જ બજારોમાં સોનાની ખરીદી માટે ખાસ ભીડ જોવા મળે છે. અક્ષય તૃતીયા સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે. કહેવાય છે કે આ દિવસે પરશુરામનો જન્મ થયો હતો, જે ભગવાન…

અમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરી

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ લેખન દ્વારા લોકશાહીના પર્વની મહત્તા સમજાવી હતી અને ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના મંત્રને ગુંજતો કર્યો હતો. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. આ…

ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આયોજીત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનો પ્રારંભ કરાવતા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યુ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાઈ રહેલો આ એક્સપો એમ.એસ.એમ.ઈ. અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું…

લોકસભાની બેઠકો 850 કરવાની તૈયારી: 2029 સુધી મહિલાઓને મળશે દરેક ત્રીજી બેઠક?

લોકસભાની બેઠકોને 850 સુધી વધારવાની ચર્ચા અને 2029 સુધી મહિલાઓ માટે 33% આરક્ષણ લાગુ કરવાની તૈયારી દેશની રાજનીતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ સમગ્ર મુદ્દાને સરળ રીતે સમજવા માટે અહીં 8 મુખ્ય પ્રશ્નો અને તેમના જવાબો આપવામાં આવ્યા છે: 1. લોકસભાની બેઠકો 850 સુધી કેમ વધારવાની વાત? ભારતમાં હાલ Lok Sabhaમાં 543 બેઠકો છે. વસ્તી વધતા પ્રતિનિધિત્વ વધુ સારું બનાવવા બેઠકો વધારવાની જરૂરિયાત ઉભી થઈ છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર રાજ્યો વચ્ચે સંતુલન જાળવવા માટે આ મુદ્દો મહત્વનો બની ગયો છે. 2. આ વધારો ક્યારે લાગુ થઈ શકે? આ સંભાવના છે કે 2026 પછીની જનગણના અને ડિલિમિટેશન (હદબંધી) પ્રક્રિયા પછી બેઠકોમાં વધારો અમલમાં આવશે. 2029ની લોકસભા ચૂંટણી સુધી આ ફેરફાર લાગુ થવાની શક્યતા છે.…

કર્ણાટકમાં PM મોદીની આધ્યાત્મિક યાત્રા, કડક સુરક્ષા વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો કાર્યક્રમ

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાતે રાજકીય અને ધાર્મિક મહત્ત્વ વધાર્યું છે. આજે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન તેમણે માંડ્યા જિલ્લામાં આવેલ પવિત્ર ધાર્મિક સ્થળ ક્ષેત્ર અદિચુંચનગિરી ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિર અદિચુંચનગિરી મઠ સાથે જોડાયેલું એક પવિત્ર સ્થાન છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ અવસરે ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ દેશના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના…