મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો ——– કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક ‘હેલ્સિયન’ (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર કાર્યરત થયું ———- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નારાયણા હોસ્પિટલ, અમદાવાદના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્સરની સારવારને વધુ સુલભ અને અસરકારક બનાવવાની દિશામાં નારાયણ હોસ્પિટલે એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ આ સેન્ટરની મુલાકાત લઈ ને હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓની માહિતી મેળવી હતી. આ કેન્દ્ર ‘હેલ્સિયન (Halcyon) રેડિયેશન થેરાપી સિસ્ટમ’થી સજ્જ છે અને આ સારવાર પદ્ધતિ ખાસ કરીને અદભુત ઝડપ અને ચોકસાઈ માટે જાણીતી છે. કેન્સરના ટ્યુમરની આસપાસના તંદુરસ્ત કોષો (ટિશ્યુઝ) પર થતી આડઅસરને નહિવત કરીને હાઈ-પ્રિસિઝન, ઈમેજ-ગાઈડેડ સારવાર આ ટેક્નોલોજી દ્વારા…

ચોમાસા અંગે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી : કૃષિ ક્ષેત્ર માટે IMD એ જાહેર કરી કડક એડવાઇઝરી

IMD નો ચિંતાજનક રિપોર્ટ: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોમાસાના બીજા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાવાની દહેશત વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વમાં ચોમાસું સામાન્ય: રાહતના એકમાત્ર સમાચાર એ છે કે ઉત્તર-પૂર્વ ભારત (North-East India) ના રાજ્યોમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે, જ્યારે પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદની ભારે અછત સર્જાઈ શકે છે. કૃષિ ક્ષેત્ર માટે એડવાઇઝરી: વરસાદની સંભવિત તંગીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અત્યારથી જ કૃષિ ક્ષેત્ર માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે, જેથી પાકને નુકસાન થતું અટકાવી શકાય. ખેડૂતોને વાવણીમાં સાવચેતીની સલાહ: દેશના ધરતીપુત્રોને ઉતાવળે વાવણી ન કરવા, ઓછું પાણી માંગતા પાકોની પસંદગી કરવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પાક આયોજન કરવા માટે સત્તાવાર સૂચના આપવામાં આવી છે. જળસંચય પર વિશેષ…

ઉનાના S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ૧૬મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, ભગવાનને ધરાવાયેલી કેરીઓનું જરૂરિયાતમંદોમાં કરાયું વિતરણ

ઉનાના S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ૧૬મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, ભગવાનને ધરાવાયેલી કેરીઓનું જરૂરિયાતમંદોમાં કરાયું વિતરણ ઉના: સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકીના એક એવા ઉના સ્થિત S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ભગવાનનો ૧૬મો પાટોત્સવ અત્યંત ભક્તિભાવ, હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. આ મંગલમય પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ઉનાળાની સિઝનમાં ભગવાનને ધરાવાયો કેરીનો ભવ્ય અન્નકૂટ ૧૬મા પાટોત્સવના આ પવિત્ર અવસરે મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણને ઉનાળાની સિઝનની ખાસ ભેટ એટલે કે અસંખ્ય પાકી કેરીઓનો વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાન સન્મુખ કલાત્મક રીતે ગોઠવવામાં આવેલો કેરીનો આ મનોહર અન્નકૂટ દર્શનાર્થીઓ માટે ભારે…

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગુજરાતના પાટનગર અને તેની આસપાસના વિસ્તારોને ગ્રીન ઝોનમાં ફેરવવાનો એક મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિ પેઢીને પ્રદૂષણમુક્ત અને શુદ્ધ વાતાવરણ આપવાના મક્કમ ઈરાદા સાથે વર્ષ 2026-27 દરમિયાન ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અભૂતપૂર્વ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત સમગ્ર લોકસભા ક્ષેત્રમાં ૧ કરોડ ૩ લાખથી વધુ રોપાઓ વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરાયો છે. ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત ગયા વર્ષ કરતાં 64% વધુ વાવેતરનો લક્ષ્યાંક અમદાવાદમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

જુનાગઢ માં નિશુલ્ક સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો, બાળકોને કીટ વિતરણ અને શિક્ષકોનું સન્માન કરાયું

જૂનાગઢમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન પાંચ દિવસીય ‘નિશુલ્ક સમર કેમ્પ’નો આજે અત્યંત ઉત્સાહભર્યા અને ભવ્ય વાતાવરણમાં સમાપન સમારોહ યોજાયો હતો. લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાના ઉમદા હેતુ સાથે સેવા અને સમર્પણનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કર્મનિષ્ઠ શિક્ષકોનું ‘સન્માન પત્ર’ આપી ગૌરવપૂર્વક સન્માન કરાયું સમર કેમ્પ દરમિયાન પોતાની અમૂલ્ય સેવાઓ આપી બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરનાર તમામ કર્મનિષ્ઠ શિક્ષકોને કેમ્પના અંતિમ દિવસે ‘સન્માન પત્ર’ આપી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજકોએ ગર્વભેર જણાવ્યું હતું કે, શિક્ષકોના નિઃસ્વાર્થ સહયોગ અને અથાણ શ્રમ વગર આ સેવાકીય યજ્ઞ સફળ બનાવવો અશક્ય હતો. બાળકોને પ્રોત્સાહક ભેટ: આકર્ષક કીટ બેગ અને એજ્યુકેશન કીટનું વિતરણ કેમ્પમાં ઉત્સાહભેર સહભાગી…

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ગામમાં અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વ. રળિયાતબેન ટીલારાના સ્મરણાર્થે ભવ્ય ભેટ આ સેવાનું ઉમદા કાર્ય દાતાશ્રી ધર્મેશભાઈ રણછોડભાઈ ટીલારા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે પોતાના માતૃશ્રી સ્વ. રળિયાતબેન રણછોડભાઈ ટીલારાના પુણ્ય સ્મરણાર્થે શાપર ગ્રામ પંચાયતને આ નવી એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવવાનો છે. ઇમર્જન્સી સારવારમાં સાબિત થશે આશીર્વાદરૂપ શાપર અને તેની આસપાસના વિસ્તારમાં ઘણીવાર ઇમર્જન્સી સમયે વાહનની સુવિધા ન મળવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હોય છે. હવે આ નવી એમ્બ્યુલન્સ સેવા શરૂ…

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન કરતા બે મેડલ પોતાના નામે કર્યા છે. આ જીત સાથે ભારતે એશિયન સ્ટેજ પર પોતાની પકડ મજબૂત બનાવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એશિયાઈ ખેલાડીઓનો જંગ ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 11 મે 2026 થી આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં એશિયાના 28 દેશો અને 2 કોમનવેલ્થ દેશોના કુલ 178 ચુનંદા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ ઇવેન્ટ 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ રાઉન્ડ તરીકે પણ કામ કરી રહી છે. જ્ઞાનેશ્વરી યાદવનું શાનદાર પ્રદર્શન: 53Kg કેટેગરી સ્પર્ધાના…

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય સરકારના મજબૂત વિઝન અને પ્રવાસન ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને જાય છે. માત્ર એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ટૂરિસ્ટ હબ’ બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ેેઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘હેરિટેજ સિટી’ તરીકે જાણીતું આ શહેર હવે…

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ … સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો ૦૦૦ રિહર્સલમાં જ પાયલટોએ સાહસભર્યા કરતબો થકી લોકોના દિલ જીત્યા ૦૦૦ વેરાવળ, તા. ૧૦ મે ૨૦૨૬ – સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર શ્રી જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર…