અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ

*અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ*
*****
*ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરી કામગીરીની રૂપરેખા રજૂ કરી*
*****
*જિલ્લામાં જનગણના માટે ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક કરાઈ :-ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે*
*****
ગુજરાત રાજ્યમાં ૧ જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ આજથી વસતી ગણતરી-૨૦૨૭ની પ્રક્રિયાનો પ્રારંભ થતા અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજનો અંગે વિગતો રજૂ કરી હતી.

શ્રી વિદેહ ખરેએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વસતી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૦૯ તાલુકાઓ અને ૦૬ નગરપાલિકાઓ હેઠળ વહીવટી આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં જનગણના માટે કુલ ૨,૫૧૮ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. વસતી ગણતરીના સુચારુ સંચાલન માટે ક્ષેત્ર સ્તરે કુલ ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક કરવામાં આવી છે.

જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ વખતે દેશમાં સૌપ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરીની પહેલ લાગુ કરવામાં આવી છે. જ્યારે વસ્તી ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે આપની લાગુ પડતી તમામ સાચી માહિતી વસ્તી ગણતરીદાર સમક્ષ રજૂ કરશો. જેથી સાચી માહિતી અને સાચા આંકડાઓ થકી આ વસ્તી ગણતરી પ્રક્રિયાને સફળ બનાવી શકાય અને આવનારા સમયમાં સરકારી યોજનાઓ અને સરકારી જનઅભિયાનોને વધુ અસરકારક બનાવી શકાય.

સ્વ-ગણતરી કરનારા નાગરિકોને વિનંતી કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જે નાગરિકોએ સ્વ-ગણતરી કરી છે તેમણે વસ્તી ગણતરીદારને પોતાનો સેલ્ફ એન્યુમેરેશન આઈડી આપવાનો રહેશે, જેથી તેમની વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

*********

  • Related Posts

    GUJRAT અંગદાન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ ૩ સરકારી હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ Ultimate Pride 2026

    GUJRAT અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો: ત્રણ સરકારી હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ, આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ GUJRATને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે મોટી સિદ્ધિ મળી છે. IKDRC, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલને ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા. GUJRAT અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ત્રણ સરકારી હોસ્પિટલોએ રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. 3 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે સમારોહ દરમિયાન ગુજરાતને ત્રણ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.ગજરાતની આ સિદ્ધિ માત્ર આરોગ્ય વિભાગ માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત બની છે. મળેલા એવોર્ડ્સમાં IKDRC, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સુરતની નવી…

    World Elephant Day: Protecting The Gentle Giants: 12 ઓગસ્ટે ‘વિશ્વ હાથી દિવસ’ની ઉજવણી

    World Elephant Day 2026: આજે વિશ્વ હાથી દિવસ, જાણો હાથીઓ સામેના જોખમો અને સંરક્ષણનું મહત્વ દર વર્ષે 12 ઓગસ્ટે World Elephant Day એટલે કે વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં હાથીઓના સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણને બચાવવા અને હાથીઓ સામે ઊભા થયેલા ગંભીર જોખમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વ હાથી દિવસની શરૂઆત 12 ઓગસ્ટ, 2012ના રોજ કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એશિયન અને આફ્રિકન હાથીઓની સ્થિતિ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો છે. હાથી માત્ર વિશાળ કદ ધરાવતું જંગલી પ્રાણી નથી, પરંતુ તે સમગ્ર પર્યાવરણ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. હાથીઓ જંગલમાં બીજ ફેલાવવામાં, વનસ્પતિના વિકાસમાં અને અન્ય અનેક પ્રાણીઓ માટે નવા આવાસ ઊભા કરવામાં મદદ કરે છે. તેથી હાથીઓનું…