ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી, ટાઇટલ જીતવા પર મળશે કરોડો રૂપિયા

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ઈનામી રકમ: પાકિસ્તાન અને UAE માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC દ્વારા ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઈનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટના વિજેતાને ૨.૨૪ મિલિયન યુએસ ડોલર મળશે, જે ભારતીય રૂપિયામાં ૨૦ કરોડ રૂપિયાની નજીક થાય છે. આ ઉપરાંત, રનર-અપ ટીમને 1.12 મિલિયન મળશે. સેમિફાઇનલમાં હારનારી ટીમોને 560,000 મળશે. 2017 માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇનામ પૂલ 6.9 મિલિયન હતો.ગ્રુપ સ્ટેજ જીતનારી કોઈપણ ટીમને 34,000 (રૂ. 30 લાખ) ની ઈનામી રકમ મળશે. પાંચમા કે છઠ્ઠા સ્થાને રહેનારી દરેક ટીમને USD 350,000 (રૂ. 3 કરોડ) મળશે, જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેનારી ટીમોને USD 140,000 (રૂ. 1.2…

IPL 2025 આ તારીખથી થશે શરૂ, પહેલી મેચ KKR-RCB, જાણો ક્યારે રમાશે ફાઈનલ

દુનિયાભરના ક્રિકેટ ચાહકો IPLની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માટે મેગા ઓક્શન ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયું હતું, જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની ટીમોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. હવે દર્શકો ફક્ત IPLની આગામી સીઝનની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,IPAનું આયોજન કરનાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી IPL 2025 ના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓ સાથે મુખ્ય મેચોની તારીખો શેર કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 18મી આવૃત્તિ 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. IPL 2025 ની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિ યન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. IPL 2024 ની રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદ…

અમદાવાદથી ગાંધીનગર જવું બન્યું હવે સરળ, મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી જવાની ફ્રિકવન્સી વધારાઈ

B INDIA અમદાવાદ : મેટ્રોમાં અમદાવાદથી ગાંધીનગર જવું હવે સરળ બન્યું છે. 15 ફેબ્રુઆરીથી અમદાવાદથી ગાંધીનગર અને મોટેરા સ્ટેશન પર પરત ફરવા માટે મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે અને APMC – મોટેરા – GNLU – GIFT સિટીનો સીધો રૂટ પણ જાહેર કર્યો છે. GMRC એ આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેન ફ્રિકવન્સી વધારવાની પરવાનગી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે. GMRC એ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોને હવે ગાંધીનગરના સેક્ટર-૧ અને GIFT સિટીની મુસાફરી માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અથવા GNLU પર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. GNLU સ્ટેશન…

વડોદરામાં વધુ એક મહિલા બની લવ જેહાદનો શિકાર, મુસ્લિમ ધર્મ અપનાવવા કર્યુ દબાણ

B INDIA વડોદરા : વડોદરામાં વધુ એક મહિલા લવ જેહાદનો શિકાર બની છે,જેમાં મોહસીન નામના યુવકે મનોજ સોની તરીકે ઓળખ આપી મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે. ત્યારે રેલવેમાં ફીટરમેન તરીકે નોકરી કરે છે. મોહસીન અને વર્ષ 2020માં તે મહિલાના સંપર્કમાં આવ્યો હતો. તો બીજી તરફ મહિલાને આ વાતની જાણ થતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, આરોપીએ નામ બદલીને હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાની વાત સામે આવી છે.જયારે લગ્ન કર્યા બાદ મહિલાને આ વાતની જાણ થઈ છે તો તેના પગ જમીન પરથી સરકી ગઈ હતી. તો મહિલાએ તેની સાથે રહેવાની ના પાડી હતી. જેને લઈ તેને માર પણ માર્યો હતો. તો મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવવા પણ કર્યુ…

અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું, ઓપીડીમાં વધી દર્દીઓની સંખ્યા

B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરમાં બદલતા વાતાવરણ કારણે રોગચાળો વધાર્યો છે ત્યારે મિશ્ર ઋતુના કેસ વધતા તબીબએ લોકોને ચેતવ્યા છેકે હાલ બહારનું ખાવાનું ટાળવુ જોઈએ કારણ કે દર વર્ષ કરતા આ વર્ષે બેવડી ઋતુના કારણે સોલા સિવિલમાં દર્દીઓની વધુ ઓપીડી રહી છે. આ સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભીડ રહી છે સોલા સિવિલની ઓપીડી 12 હજારથી વધુ દર્દીઓની સંખ્યા નોંધાઇ છે જ્યારે 4 હજારથી એડમિટ કરવાનની ફરજ પડી છે તો હાલ વાયરલ ઇન્ફેક્શનના 103 દર્દી એડમિટ કર્યા છે. બાળકોની ઓપીડી વધતા તબીબે સાવચેતી રાખવા કરી અપીલ કરી છે બાળકોની ઓપીડી 100ને પાર છે જ્યારે 40 થી વધુ બાળકને એડમિટ કરવાનું ફરજ પડી છે. -> મચ્છરનો ત્રાસ :- ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે.…

રાજ્યમાં આ તારીખથી વધશે ગરમી, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાર થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે તો ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઈએ.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ચેતવણી આપી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, “19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીષ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.” અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, “હજુ પણ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. એક…

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને તૈયારી, ગેરરીતિ કરશે તો થઈ શકે છે જેલ અને દંડની જોગવાઈ

ગુજરાતમાં વધતી ગેરરીતિને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ગુજરાત જાહેર પરીક્ષામા ગેરરિતિઓ રોકવા કાયદો-૨૦૨૩ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો-૧૯૭૨ની કલમ-૪૩ લાગુ પડવા તાકીદ કરાઈ છે.ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામા ગેરરીતિ બદલ જેલની સજાની જોગવાઈ પણ કરાઈ છે. આ અંગેની માહિતી અનુસાર, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ તા.૨૮થી આરંભ થશે.આ પરીક્ષાઓ પારદર્શક રીતે યોજાય તથા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની પરેશાની વિના સ્વસ્થ ચિતે પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા દર વર્ષે તમામ પ્રયત્નો કરવામાં આવે છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો, ૧૯૭૨ની કલમ-૪૩ હેઠળ બોર્ડના પ્રશ્નપત્ર, જવાબવહી અને અન્ય સાહિત્યને ગોપનીય ગણવામાં આવેલ છે. આવા સાહિત્યને અનધિકૃત રીતે પોતાની પાસે રાખવા, બીજાને પહોચાડવુ કે ઉપયોગમાં લેવુ તે…

વાસ્તુ ટિપ્સ: પાણીમાં આ બે જાદુઈ વસ્તુઓ ભેળવી દો, ઘર પૈસાથી ભરાઈ જશે, મન શાંત રહેશે

વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા અને તેને સજાવવાની વાત છે, પરંતુ તે જીવનના દરેક પાસાઓનો પણ ઉલ્લેખ કરે છે. ઘરની સફાઈ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ઘરનું વાસ્તુ સારું રહે અને નકારાત્મક ઉર્જા બહાર નીકળી શકે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે કેટલાક પગલાં લઈ શકાય છે, આ સાથે વાસ્તુ સંબંધિત કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખી શકાય છે. ચાલો આ વિશે વિગતવાર જણાવીએ. -> મોપ પાણીમાં શું ઉમેરવું : ધોવાના પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરવાથી નકારાત્મકતાનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જો તમે ઘર સાફ કરતી વખતે પાણીમાં થોડું દરિયાઈ મીઠું નાખો છો, તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.…

નર્મદેશ્વર શિવલિંગ: નર્મદા નદીના દરેક પથ્થરને શિવલિંગ કેમ કહેવામાં આવે છે? પૂજાના ઘણા ફાયદા

ભારતમાં એવી ઘણી નદીઓ છે, જેમના અસ્તિત્વની વાર્તા પૌરાણિક કાળ સાથે જોડાયેલી છે. આજે અમે તમને આવી જ એક નદી એટલે કે નર્મદા નદી (નર્મદા શિવલિંગનું મહત્વ) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ઉત્પત્તિની વાર્તા ભગવાન શિવ સાથે સંબંધિત માનવામાં આવે છે. -> નર્મદા નદી કેવી રીતે ઉદ્ભવી? :- નદીના કિનારે મળેલા શિવલિંગ આકારના પથ્થરોને નર્મદેશ્વર શિવલિંગ અથવા બાણાલિંગ કહેવામાં આવે છે. દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવ કઠોર તપસ્યા કરી રહ્યા હતા, જેના કારણે તેમના શરીરમાંથી પરસેવો ટપકવા લાગ્યો. નર્મદા નદી ભગવાન શિવના પરસેવામાંથી ઉદ્ભવી હતી. -> શિવલિંગની ઉત્પત્તિની વાર્તા :- તે જ સમયે, શિવલિંગની ઉત્પત્તિ વિશે એક વાર્તા છે કે નર્મદેશ્વર અથવા બાણાલિંગ શિવલિંગ ભગવાન શિવના એક દિવ્ય બાણમાંથી ઉદ્ભવ્યું હતું. દંતકથા અનુસાર, જ્યારે ભગવાન…

ડુંગળીની છાલ: ડુંગળીની છાલ નકામી છે એમ વિચારીને ફેંકી ન દો? તમને 6 આશ્ચર્યજનક ફાયદા મળશે; સ્વાસ્થ્ય સુધરશે

રસોઈ બનાવતી વખતે, આપણે ડુંગળીની છાલને નકામી સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેમાં ઘણા સ્વસ્થ અને ઘરગથ્થુ ઉપયોગી ગુણધર્મો છુપાયેલા છે? ડુંગળીની છાલમાં એન્ટીઑકિસડન્ટ, વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા, વાળ અને ઘરની સંભાળ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, ડુંગળીની છાલ વિવિધ સમસ્યાઓનો કુદરતી ઉકેલ બની શકે છે. ડુંગળીની છાલનો ઉપયોગ વાળને મજબૂત બનાવવાથી લઈને ત્વચાની સંભાળ, હાડકાંને મજબૂત બનાવવા અને ઘરની સફાઈ માટે કરી શકાય છે. ચાલો જાણીએ ડુંગળીની છાલના 6 શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર. -> ડુંગળીની છાલના 6 ફાયદા : -> વાળ માટે કુદરતી કન્ડિશનર :- ડુંગળીની છાલને પાણીમાં ઉકાળો, તેને ઠંડુ…