રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ
વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની ‘શૌર્યભૂમિ’ ધંધુકા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ઝવેરચંદ મેઘાણીએ 1928માં રચેલું અમર કાવ્ય ‘ચારણ-કન્યા’ આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્ક ‘ચારણ-કન્યા’ વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ થયું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જના મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા…
Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા
ગુજરાતમાં હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. ત્યારે પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરી દીધા છે. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સીલ કર્યુ છે. આ પણ વાચો :- Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત મળતી માહિતી મુજબ, પાટણમાં ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સિલ કર્યુ છે. ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગે રેડ કરી…
Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત
ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ભાયલી વિસ્તારનો ડભોઇ વિધાનસભામાં સમાવેશ થયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે. આ પણ વાંચો :- gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના લઘુમતી સમુદાયનું અતિક્રમણ રોકવા ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી છે. વધુમાં ધારાસભ્યએ આ પત્રમાં જણાવ્યું કે, ભાયલી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ સહિતની અન્ય યોજનાની શરૂઆત કરી. પરંતુ પ્રધાનમંત્રી આવાસના મકાનો મોટાભાગે લઘુમતી સમુદાયને ફાળવવામાં આવ્યા…
Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ તાપમાન ઊંચુ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાદ ફરીથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચો જાય તેવી આશંકા છે. ત્યારે આજે એટલે કે, 11મી માર્ચના રોજ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર :- હવામાન વિભાગે રાજ્યમાં આજે 1 નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું…
પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજુરી ન અપાઇ, એરપોર્ટ પરથી જ પરત રવાના કર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન નિયમો પર ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. દરમિયાન, તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. ઇમિગ્રેશન સંબંધિત વાંધાઓને કારણે, યુએસ અધિકારીઓએ તેમને દેશ છોડવાનું કહ્યું, ત્યારબાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા. આ પણ વાંચો :- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન થવા મામલે મસ્કનો દાવો, યુક્રેનથી થયો સાયબર અટેક પાકિસ્તાન સરકાર તેમને પાછા બોલાવી શકે છે :- રાજદૂત કે.કે. એહસાન વાગન પાસે માન્ય યુએસ વિઝા અને બધા જરૂરી દસ્તાવેજો હતા અને તે લોસ એન્જલસની વ્યક્તિગત…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન થવા મામલે મસ્કનો દાવો, યુક્રેનથી થયો સાયબર અટેક
યુએસ DOGE વિભાગના વડા એલોન મસ્કે દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર યુક્રેનથી સાયબર હુમલો થયો હતો, જેના કારણે Xનું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયું હતું. સોમવારે X નું સર્વર ઘણી વખત ડાઉન થયું. સર્વર ક્યારેક સારું કામ કરતું હતું, પણ પછી તે ફરીથી ક્રેશ થઈ ગયું. આ પણ વાંચો :- મોરેશિયસમાં વડાપ્રધાન મોદીનું ફુલોનો હાર પહેરાવી, ગળે લગાવી કરાયું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, એલોન મસ્કે કહ્યું, ‘અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ X સિસ્ટમને તોડી પાડવા માટે યુક્રેન ક્ષેત્રના IP સરનામાંનો ઉપયોગ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હતો.’ જ્યારે X ની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે હવે…
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી ટીમો સફેદ જેકેટ કેમ પહેરે છે, જાણો તેનો અર્થ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું. ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી છે. આપને જણાવી દઈએ કે જીત બાદ ભારતીય ખેલાડીઓને નિયમો અનુસાર સફેદ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. ભારતીય ટીમના ખેલાડીઓએ સફેદ જેકેટ પહેરીને એવોર્ડ સમારોહમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ ટ્રોફી લઈને ચેમ્પિયન બનવાની ઉજવણી કરી હતી. પરંતુ હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વિજેતા ટીમને સફેદ જેકેટ કેમ પહેરવું પડે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે સફેદ જેકેટ પહેરવાનો ટ્રેન્ડ ક્યારે શરૂ થયો અને તે શા માટે પહેરવામાં આવે છે. આ પણ વાંચો :- છાવા કલેક્શન રિપોર્ટ: વિક્કી કૌશલે પુષ્પા 2 ને જોરદાર ટક્કર આપી, ચોથા અઠવાડિયામાં રેકોર્ડ તોડ્યો…
કોહલી-રોહિત નહીં,વસીમ અકરમે આ ક્રિકેટરને ચેમ્પિયન્સ ટ્રોફીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો હતો
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, જ્યારે રચિન રવિન્દ્રને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, ટૂર્નામેન્ટની સમાપ્તિ પછી, પાકિસ્તાનના મહાન દિગ્ગજ વસીમ અકરમ એ તે ખેલાડી વિશે વાત કરી છે જેણે તેને સૌથી વધુ પ્રભાવિત કર્યો હતો. આ પણ વાંચો :- જુઓ: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી વિરાટ કોહલી અનુષ્કા શર્માને ગળે લગાવવા દોડ્યો, કપલની ન જોયેલી ક્ષણોની ઝલક જુઓ વસીમે રચિન રવિન્દ્રને ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કર્યા છે. તમને જણાવી દઈએ કે રચિન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્લેયર…
મોરેશિયસમાં વડાપ્રધાન મોદીનું ફુલોનો હાર પહેરાવી, ગળે લગાવી કરાયું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચ્યા છે. પોર્ટ લુઇસ એરપોર્ટ પર મોરેશિયસના પીએમ નવીન રામગુલામે ફૂલોની માળા પહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ સમય દરમિયાન, બંને નેતાઓ વચ્ચે ઘણી ઉષ્માભરી વાતચીત જોવા મળી. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ આ સમારોહમાં ભાગ લેશે. આ પણ વાંચો :- આજે લોકસભામાં રજુ થશે આ બિલ, ભારતમાં ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાર્યવાહીની જોગવાઇ મોરેશિયસમાં પીએમ મોદીનું ખૂબ જ ખાસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. પીએમ નવીન રામગુલામ તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા. આ દરમિયાન તેમણે પહેલા પીએમ મોદીને ગળે લગાવ્યા, પછી તેમને…
















