કેજરીવાલનું મોટુ એલાન, ચૂંટણી પછી ભાડૂઆતોને પણ આપીશું મફત વીજળી અને પાણીની સુવિધા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત છે કે ભાડૂઆતો આનો લાભ લઈ શકતા નથી. આના ઘણા કારણો હોઈ શકે છે. મારું માનવું છે કે ભાડૂઆતોને પણ આનો લાભ મળવો જોઈએ.તેમણે કહ્યું, “દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી, અમે એક યોજના લઈને આવીશું જેના હેઠળ ભાડૂઆતોને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળશે. -> ભાડૂઆતોને મફત વીજળી અને પાણી યોજનાનો લાભ મળશે :- મફત વીજળી અને પાણીના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીવાસીઓને 200 યુનિટથી મફત વીજળી મળે છે. ૨૦૦ થી ૪૦૦ યુનિટ પર અડધો ચાર્જ વસૂલવામાં આવે છે. દિલ્હીમાં રહેતા ભાડૂઆતોને વિવિધ કારણોસર…







