PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. તેમજ 2 કિમી લાંબા ભવ્ય રોડ-શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. આ યાત્રા અંદાજે 2 કિમી લાંબી હશે. આ યાત્રામાં આગળ અને પાછળ 108 અશ્વો હશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…