ખુલાસો: બ્રેકઅપ પછી અર્જુન કપૂર એક્સ ગર્લફ્રેન્ડ મલાઈકાના પિતાના મોતને કેમ ગયો? શ્રીદેવીના મૃત્યુ સાથે છે કનેક્શન!
અભિનેત્રી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના 6 વર્ષ લાંબા સંબંધોનો અંત આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા જેણે ચાહકોનું દિલ તોડી નાખ્યું હતું. સપ્ટેમ્બર 2024 માં, મલાઈકાના પિતા અનિલ મહેતાએ તેમના ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. દુઃખની આ ઘડીમાં અર્જુન મલાઈકાની સાથે ઉભો હતો. બ્રેકઅપ બાદ પણ એક્સ કપલ એકબીજા સાથે ઉભા જોવા મળ્યા હતા. હવે અર્જુને કહ્યું છે કે તે બ્રેકઅપ પછી પણ મલાઈકા અને તેના પરિવારને મળવા કેમ ગયો હતો. અર્જુને મલાઈકા સાથેના તેના ઈમોશનલ સંબંધ વિશે વાત કરી હતી. રાજ શમાણીને આપેલા એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે આ ઘટના વિશે કંઈક કહ્યું જે શ્રીદેશીના મૃત્યુ સાથે જોડાયેલી છે. તેણે ધ્યાન દોર્યું કે શ્રીદેવીના પિતા બોની અને તેની સાવકી બહેનો…







