બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં SMC ટીમે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. આસામથી પકડાયો હતો આરોપી લિકર કિંગ તરીકે ઓળખાતા અશોક બિશ્નોઈને SMCની ટીમે આસામમાંથી ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ નજીક તેણે ફિલ્મી ઢબે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સીટ બેલ્ટથી પોલીસકર્મી પર હુમલો આરોપીએ ચાલતી ગાડીમાં અચાનક હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીની સીટ બેલ્ટ વડે પોલીસકર્મીના ગળે ફાંસો મારી દેવાનો પ્રયાસ કર્યો,…
Surat : સુરતવાસીઓ માટે સારા સમાચાર, પાણી બિલમાં મળશે રાહત
સુરત શહેરીજનોને રાહત આપવા મનપાની સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કરદાતાઓ અને પાણી બિલમાં રાહત આપવામાં આવશે. સુરતવાસીઓનું 41 હજાર મિલકતોના પાણી બિલમાં વ્યાજ માફ થશે. તેમજ 30 જુન સુધીમાં જે લોકો પાણીનું બીલ ભરશે તેમને ફાયદો થશે. આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ મનપાની સ્થાયી સમિતિ સુરતવાસીઓના મિલકતોને લઈને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કરદાતાઓને 100 ટકા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે. 35536 રહેણાંક મિલકતમાં બાકી વ્યાજની રકમ 17.29 કરોડ થાય છે જ્યારે 30 ધાર્મિક મિલકતમાં બાકી વ્યાજ રૂ.26 હજાર અને બિનરહેણાંક મિલકતમાં બાકી વ્યાજ રૂ.10.55 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- રાજ્યમાં…








