શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત

  બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના સભ્યોને નિશાન બનાવી રહ્યા છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. શેખ હસીનાએ સોશિયલ મીડિયા પર તેમના પક્ષના નેતાઓ અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.   શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ પર પણ નિશાન સાધ્યું. હસીનાએ તેમને “એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા જે ક્યારેય લોકોને પ્રેમ કરતા નહોતા”. તેમણે કહ્યું કે યુનુસે ઊંચા વ્યાજ દરે ઉછીના લીધેલા પૈસાનો ઉપયોગ વિચિત્ર જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કર્યો. હસીનાએ આગળ કહ્યું, “અમે ત્યારે તેમનો બેવડો સ્વભાવ સમજી શક્યા નહીં, અમે તેમને…