પહેલગામ આતંકી હુમલો: પ્રવાસીઓને ધર્મના આધારે ટારગેટ, 26નાં મોત, TRFએ જવાબદારી લીધી, NIA તપાસ કરશે
જમ્મુ-કાશ્મીરના સૌંદર્યમય તટસ્થ અને શાંતિપ્રિય વિસ્તારોમાંથી ગણાતા પહેલગામના બ્યાસરણ ખીણમાં મંગળવારના રોજ થયો આતંકવાદી હુમલો દેશભરમાં ભય અને શોકનો માહોલ પેદા કરી ગયો છે. પ્રવાસીઓ પર ધર્મના આધારે નિશાન સાધી થયેલા ગોળીબારમાં 26 લોકોનાં મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા પછીનો સૌથી મોટો નાગરિકોને ટારગેટ કરેલો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. ઘટનાની વિગતવાર સમજાવટ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ ઘટી હતી, જ્યારે ઘણા પ્રવાસીઓ બ્યાસરણ ખીણમાં ઘોડાસવારી, પિકનિક અથવા ખાવાની જગ્યાઓ પાસે સમય વિતાવી રહ્યા હતા. અચાનક સૈન્યના વસ્ત્રોમાં સજ્જ સશસ્ત્ર આતંકીઓ ઘાસના મેદાનમાં ઘૂસ્યા. તેઓએ લોકોને તેમની ઓળખ બતાવવા માટે કહ્યું અને ધર્મ પુછ્યો. ઓળખ ચકાસ્યા બાદ, પસંદગીના આધારે કેટલાક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કર્યો.…
IPL 2025: કેએલ રાહુલ કે ફાફ ડુ પ્લેસિસ નહીં, પરંતુ આ ભારતીય સ્ટાર બન્યો દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન
ક્રિકેટપ્રેમીઓની રાહ જોવાની ઘડી પૂરી થઈ ગઈ છે. આખરે, IPL 2025 શરૂ થવાના એક અઠવાડિયા પહેલા, દિલ્હી કેપિટલ્સ ટીમે તેના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. આ બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો મજબૂત ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ છે. અક્ષર પહેલા, ગત સિઝન સુધી ટીમનો નિયમિત કેપ્ટન ઋષભ પંત હતો. જોકે, હવે પંત લખનૌ સુપર જાયન્ટ્સના કાફલામાં સામેલ થઈ ગયા છે. જે પછી લોકો એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા કે હવે ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશિપની જવાબદારી કયા ખેલાડીના ખભા પર મૂકવામાં આવી છે. કારણ કે ટીમમાં કેએલ રાહુલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા અન્ય મોટા નામ પણ હતા. પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેના સૌથી વિશ્વાસુ ખેલાડી અક્ષર પટેલના ખભા પર મહત્વની જવાબદારી મૂકી છે. આ પણ વાંચો :-…
Ahmedabad : અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ, કહ્યું-‘કોંગ્રેસનાં અડધા લોકો ભાજપ સાથે મળેલા છે’
રાહુલ ગાંધીનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તે પહેલા કોંગ્રેસના મહિલા આગેવાનોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને આડે હાથ લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતનું નતૃત્વ, કાર્યકર્તાઓમાં બે પ્રકારના લોકો છે. એક છે, જે જનતા સાથે ઊભો છે અને જનતા માટે લડે છે. જેના દિલમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. બીજો છે, જે જનતાથી દૂર છે, જનતાનું સન્માન કરતા નથી અને તેમાંથી અડધા બીજેપી સાથે મળેલા છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક! વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું- જ્યાં સુધી આપણે આ બન્નેને અલગ નહીં કરીએ ત્યાં સુધી…









