રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ વિલાસ વેદાંતીનું નિધન; યોગી આદિત્યનાથે પાઠવી શ્રદ્ધાંજલિ

અયોધ્યામાં રામ મંદિર ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ભાજપના ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ખરાબ તબિયત બાદ મધ્યપ્રદેશના રેવામાં સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન, તેમણે સોમવારે બપોરે અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ શરીરને અયોધ્યા લાવવામાં આવી રહ્યોછે , જ્યાં તેમને મંગળવારે સરયુ નદીમાં વિસર્જન કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ વેદાંતીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 67 વર્ષીય રામવિલાસ છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના રેવામાં રામ કથા માટે હતા. રવિવારે તેમની તબિયત . ત્યારબાદ તેમને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની બીમારીની જાણ થતાં, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તેમને એરલિફ્ટ કરીને ભોપાલ લઈ જવાની વ્યવસ્થા કરી, પરંતુ લો વિઝિબીલિટીના કારણે વિમાન લેન્ડ…