પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ ! જાણો કોણે છે અવિવા બેગ
રાષ્ટ્રીય રાજકારણમાં એક શક્તિશાળી ગણાતા ગાંધી પરિવારમાં લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ અને કેરળના વાયનાડના સંસદ સભ્ય પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રેહાને તેની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રેહાન વાડ્રા અને અવિવા છેલ્લા સાત વર્ષથી રિલેશનશિપમાં છે. રેહાને તાજેતરમાં જ અવિવાને પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારોએ તેમના લગ્ન માટે સંમતિ આપી દીધી છે. તેમની સંમતિ પછી બાદ બન્નેની સગાઈ કરવામાં આવશે. લગ્નની તારીખ હજુ નક્કી નથી થઈ રેહાન અને અવિવા બેગ જાન્યુઆરી 2026 ની શરૂઆતમાં રાજસ્થાનમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરશે તેવું કહેવાય છે. જોકે બંને પરિવારો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તૈયારીઓ પહેલાથી જ શરૂ…
રાહુલ ગાંધીએ ચૂંટણી કમિશનરોને આપી ચેતવણી, જાણો શું કહ્યું
લોકશાહીના પાયા પરનો રાજકીય સંઘર્ષ હવે ખુલીને સામે આવી ગયો છે. કોંગ્રેસે આજે (રવિવારે) દિલ્હીના રામલીલા મેદાનમાં કથિત મત ચોરીના મુદ્દા પર એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, RSS અને ચૂંટણી પંચ પર શાબ્દિક હુમલો કર્યો અને તેને “સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ” ગણાવી. સ્ટેજ પરથી રાહુલ અને પ્રિયંકા ગાંધીના વલણથી સ્પષ્ટ થયું કે આ માત્ર આરોપ નથી, પરંતુ લોકશાહી બચાવવાની લડાઈ છે, જેમાં કોંગ્રેસ સરકાર અને વ્યવસ્થાને પડકારવાના મૂડમાં છે. આ લેખમાં વાંચો કથિત મત ચોરી સામેની રેલીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીએ શું કહ્યું. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાસે સરકાર છે અને તેઓ મત ચોરીમાં સામેલ છે. “અમે હંમેશા સત્ય સાથે ઉભા રહીશું અને પીએમ મોદી…
વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે માતરમમાં ઉજાગર થતી માતૃભૂમિની ભાવના : અમિત શાહ સૈનિકોના બલિદાનમાં ગુંજે છે વંદે માતરમ : અમિત શાહ સરકાર દેશની વાસ્તવિકતા છુપાવવા માંગે છે : પ્રિયંકા વંદે માતરમ એ સ્વતંત્રતા માટે યુવાનોનો મંત્ર હતો : PM કોંગ્રેસ મુસ્લિમ લીગ સામે ઘુંટણીયે પડી : PM Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
પુતિનની મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યો મોટો આરોપ, જાણો શું ક્હ્યું
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર વિપક્ષની અવગણના કરી રહી છે અને વિદેશથી આવેલા નેતાઓને વિપક્ષના નેતા સાથે મળવા દેતી નથી. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા વિદેશથી આવેલા પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરે છે. આ એક પરંપરા છે અને હંમેશાથી આવું રહ્યું છે, પરંતુ મોદી સરકાર મુલાકાતી પ્રતિનિધિમંડળોને વિપક્ષના નેતા સાથે ન મળવાનું કહે છે. આ દર વખતે કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતનું પ્રતિનિધિત્વ ફક્ત સરકાર દ્વારા જ નહીં પરંતુ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવે છે, છતાં સરકાર ઇચ્છતી નથી કે વિપક્ષ બહારના લોકો સાથે મળે. વિપક્ષના નેતા માટે વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવી એ એક પરંપરા છે, પરંતુ નરેન્દ્ર…
પહેલગામ આતંકી હુમલા અંગે કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, સરકાર પાસે કરી આ માંગ
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને તેને “ક્રૂર” અને “કાયર” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવા એ અત્યંત પીડાદાયક અને આઘાતજનક છે. તેમણે આ હિંસાને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો અને કહ્યું કે આખા દેશે એક થઈને આવી શક્તિઓ સામે ઉભા રહેવું પડશે. સોનિયા ગાંધીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ એવા પરિવારોનું દુઃખ સમજે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી. સોનિયા ગાંધીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે આતંકવાદ સામે લડવા માટે ફક્ત કડક શબ્દો કરતાં વધુ વ્યૂહાત્મક પગલાં લેવાની જરૂર છે. તેમણે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જમ્મુ અને કાશ્મીરમાં…
EDએ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યા છે. તેઓ પૂછપરછ માટે ED ઓફિસ પણ પહોંચી ગયા છે. આ દરમિયાન વાડ્રાએ કહ્યું કે અમે કંઈપણ માટે તૈયાર છીએ. જ્યારે હું લઘુમતીઓ માટે બોલું છું, ત્યારે આપણને દબાવવામાં આવે છે. રાહુલને સંસદમાં દબાવી દેવામાં આવે છે. ગુરુગ્રામના શિકોપુર ગામમાં જમીન સોદાના સંદર્ભમાં વાડ્રાને આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. સમગ્ર મામલાથી વાકેફ લોકોનું કહેવું છે કે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં વાડ્રાને પહેલી વાર બોલાવવામાં આવ્યા છે. હરિયાણા પોલીસે 2018 માં આ કેસમાં FIR નોંધી હતી. જાણો શું છે મામલો આ કેસ ફેબ્રુઆરી 2008 ના એક જમીન સોદા સાથે સંબંધિત છે, જે હેઠળ રોબર્ટ…
કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને મળી શકે છે મહત્વનું પદ, પાર્ટીમાં આ ચર્ચાઓએ પકડયું જોર
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને કેરળના વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીને એક મોટું પદ આપવાનું વિચારી રહી છે. સૂત્રોનું માનીએ તો, પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતે પાર્ટીના જિલ્લા પ્રમુખોને સશક્ત બનાવવા અને તેમને જવાબદારી સોંપવાના પાયલોટ પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. કોંગ્રેસ પાર્ટી આ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ કરશે, જો તે સફળ થશે તો તેનો અમલ અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવા સહિતના ઘણા વિકલ્પો પર પાર્ટીમાં ચર્ચા થઈ રહી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રિયંકા ગાંધી વાડ્રા હાલમાં પાર્ટીના મહાસચિવ છે, પરંતુ તેમની પાસે હજુ સુધી કોઈ કાર્યભાર નથી. તે પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેનું ઉદાહરણ ગુજરાતમાં જિલ્લા પ્રમુખોને…
જો PM મોદી ટ્રમ્પના આટલા સારા મિત્ર છે તો પછી આવું કેમ થવા દેવામાં આવ્યું? દેશનિકાલ પર પ્રિયંકાનો સવાલ
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને દેશનિકાલ કરવા અંગે વિપક્ષી નેતાઓમાં ઊંડી ચિંતા અને ગુસ્સો છે. આ મુદ્દા પર, પ્રિયંકા ગાંધીએ સંસદ ભવનની બહાર એક વિશિષ્ટ ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું, “જો પીએમ મોદી ટ્રમ્પના આટલા સારા મિત્ર છે તો પછી આવું કેમ થવા દેવામાં આવ્યું?” આ પછી તેણે પૂછ્યું, “આપણું જહાજ આ ભારતીયોને લેવા કેમ ન જઈ શક્યું?” પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, માનવીઓ સાથે આ રીતે વર્તન કરવાની આ રીત નથી કે તેમને હાથકડી અને બેડીઓ પહેરાવીને મોકલી દેવામાં આવે. આવી અમાનવીય પરિસ્થિતિ માટે વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રીએ જવાબ આપવો જોઈએ. અમેરિકાના દેશનિકાલ કેસ…
કેન્દ્ર સરકારે પૂર્વ વડા પ્રધાનના પદની ગરિમા, તેમના વ્યક્તિત્વ, તેમના વારસા અને ખુદ્દાર શીખ સમુદાય સાથે ન્યાય નથી કર્યોઃ પ્રિયંકા ગાંધી
મનમોહન સિંહનું અવસાન: આર્થિક સુધારાના પિતા, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને શનિવારે (28 ડિસેમ્બર 2024) નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક સ્થળને લઈને રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. -> ‘કેન્દ્ર સરકારે મનમોહન સિંહનું અપમાન કર્યુંઃ રાહુલ ગાંધી :- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ હજુ પણ દેશના ગરીબ અને પછાત વર્ગને સમર્થન આપી રહી છે. -> પૂર્વ વડાપ્રધાન સર્વોચ્ચ સન્માનના હકદાર છેઃ રાહુલ ગાંધી :- કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “અત્યાર સુધી, તમામ…
પ્રિયંકા ગાંધી ‘પેલેસ્ટાઈન’ લખેલી હેન્ડબેગ લઇ સંસદ પહોંચ્યા તો પાકિસ્તાનમાં થયા વખાણ
સમર્થન અને એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રિયંકા ગાંધીના આ પ્રતિકાત્મક પગલાની ચર્ચા પાકિસ્તાનમાં પણ શરૂ થઈ ગઈ છે. -> પેલેસ્ટાઈન :- બેગ સાથે જોડાયેલા મુદ્દે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. તેમણે લખ્યું કે જવાહરલાલ નેહરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીની પૌત્રી પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ? પ્રિયંકા ગાંધી વામન વચ્ચે ઉંચા ઉભા છે. શરમજનક બાબત છે કે આજ સુધી પાકિસ્તાનના કોઈ સંસદ સભ્યએ આવી હિંમત દાખવી નથી. -> પેલેસ્ટિનિયન પ્રતીકોનો ઉપયોગ :- પ્રિયંકા ગાંધીની હેન્ડબેગમાં ‘પેલેસ્ટાઈન’ શબ્દો સાથે તરબૂચની તસવીર પણ હતી. તરબૂચને પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેને પેલેસ્ટિનિયન સંસ્કૃતિનો એક ભાગ માનવામાં આવે છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં તરબૂચની…
















